Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળી 2017 - આ છે મા લક્ષ્મીને પ્રસન્ન કરવાની 5 રીત

Webdunia
બુધવાર, 18 ઑક્ટોબર 2017 (09:03 IST)
વાસ્તુમાં ઘર-દુકાનના મેન ગેટનુ વિશેષ મહત્વ હોય છે. તેથી દિવાળી પર મા લક્ષ્મીને ખુશ કરવા માટે મેન ગેટની સાફ સફાઈથી લઈને દરવાજાને સજાવવાનુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.  વાસ્તુ મુજબ ઘર દુકાનના મેન ગેટ પાસે આ 6 વસ્તુઓ મુકવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળે છે અને ઘર પરિવારને પૈસાથી લઈને સારા આરોગ્ય સુધી બધુ જ મળે છે. 
 
દિવાળી પર મા લક્ષ્મી અને ગણેશની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે મા લક્ષ્મી પોતાના ભક્તોની દરેક ઈચ્છા પુરી કરે છે.  મા લક્ષ્મીની કૃપાથી યશ અને કીર્તિ પણ પ્રાપ્ત થાય છે અને ધન લાભમાં આ વિશેષ લાભકારી છે. એવુ કહેવાય છેકે લક્ષ્મી રિસાતા દરિદ્રતાનો સામનો કરવો પડી શકે છે તેથી મા લક્ષ્મીની પૂજાના સમયે કેટલીક વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ .. જાણો શુ છે આ વાતો.. 
 
1. મા લક્ષ્મીની પૂજા કરતી વખતે આ વાતનુ ધ્યાન રાખો કે લક્ષ્મીના આ ચિત્ર કે મૂર્તિની પૂજા કરો જેમા તે ગુલાબી કમળના ફૂલ પર વિરાજમાન હોય. આ ઉપરાંત ચિત્રમાં મા લક્ષ્મીના હાથે ધનની વર્ષા થઈ રહી હોય. દેવી માના ઉભા સ્વરૂપની પૂજા ન કરવી જોઈએ. 
 
2. મહાલક્ષ્મીની પૂજા અડધી રાત્રે સફેદ કે ગુલાબી કપડા પહેરીને કરવામાં આવે છે અને દેવી મા ને ગુલાબી રંગનુ ફૂલ ખાસ કરીને દિવાળીના દિવસે કમળનુ ફુલ ચઢાવવુ શુભ હોય છે. 
 
3. દિવાળીના દિવસે મા લક્ષ્મી સામે ઘી નો એક મોટો દીવો પ્રગટાવવો જોઈએ અને મહાલક્ષ્મીને અત્તર ચઢાવવુ જોઈએ. 
 
4. મા લક્ષ્મીના મંત્રોનો જાપ સ્ફટિકની માળાથી કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
 
5. મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની તિજોરીમાં મા લક્ષ્મીની એવી તસ્વીર લગાવવી જોઈએ જેમા બે હાથી સૂંઢ ઉઠાવતા દેખાતા હોય. તિજોરીમાં આ લગાવવા શુભ હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments