Publish Date: Sat, 02 May 2026 (17:36 IST)
Updated Date: Sat, 02 May 2026 (17:50 IST)
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી એક ભયાનક ઘટના સામે આવી છે. 65 વર્ષના એક વૃદ્ધે ૪ વર્ષની બાળકી પર બળાત્કાર કરીને તેની નિર્દયતાથી હત્યા કરીને ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. ત્યારબાદ રાક્ષસે તેના શરીરને ગાયના છાણના ઢગલા નીચે છુપાવી દીધું. આ ઘટના બાદ, સમગ્ર વિસ્તારમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે, જેમાં લોકોએ આરોપીઓને મોતની સજાની માંગણી કરી છે. આ ઘટના પુણેના ભોર તાલુકાના નાસરપુર ગામમાં બની હતી.
અહી ઘરની બહાર રમી રહેલી માસૂમને 65 વર્ષીય આરોપી પટાવી લલચાવીને ઢોરના વાડામાં લઈ ગયો અને ત્યા તેની સાથે દુષ્કર્મ કર્યુ. બાળકીની ઓળખ છિપાવવા અથવા પકડાય જવાના ભયથી આરોપીએ એક પત્થરથી કચડીને તેની હત્યા કરી નાખી. ત્યારબાદ તેણે બાળકીની લાશને છાણના ઢગલા નીચે સંતાડી દીધુ. બાળકી અચાનક ગાયબ થઈ તો પરિજનોએ તેની શોધખોળ શરૂ કરી. જેના પરિણામસ્વરૂપ ઢોરના વાડામા તેની ડેડ બોડી મળી.
કેવી રીતે થયો ઘટનાનો ખુલાસો ?
આ અપરાધનો ખુલસો સ્થાનિક સીસીટીવી ફૂટેજ તપાસ્યા પછી સામે આવ્યો, જેમાં આરોપી બાળકીને ઢોરના વાડા તરફ લઈ જતો જોવા મળ્યો. ત્યારબાદ પોલીસે આરોપીની અટકાયત કરી અને તપાસ શરૂ કરી. રહેવાસીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, નાની છોકરી તેની દાદીના ઘરે વેકેશન કરવા માટે આવી હતી. આ ઘટનાથી નાસરપુર ગામમાં રોષ ફેલાયો છે. ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ હાઇવે બ્લોક કરી દીધો હતો અને માસૂમ છોકરીના મૃતદેહ સાથે પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
ગ્રામજનોએ પોલીસ પાસે આરોપીઓને તેમના હવાલે કરવાની માંગ કરી હતી. પોલીસે ગ્રામજનોને ખાતરી આપી હતી કે સમગ્ર કેસની સુનાવણી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કરવામાં આવશે અને આરોપીઓને સજા કરવામાં આવશે. આ પછી, નાગરિકોએ તેમનો રસ્તા રોકો વિરોધ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધો.
વિરોધમાં બંધનુ આહ્વાન
ગામમાં પરિસ્થિતિ હજુ પણ તંગ છે, અને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરમિયાન, નસરપુર ટ્રેડર્સ એસોસિએશન અને સમગ્ર નસરપુર સમુદાયે આ ઘટનાના વિરોધમાં આજે (2 મે) સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે. દુકાનદારોએ બંધના આહ્વાનને તાત્કાલિક અને ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો છે. આ ઘટનાની નિંદા કરવા માટે ગ્રામજનો દ્વારા આયોજિત વિરોધ કૂચ સવારે 10:00 વાગ્યે ગામના ભૈરવનાથ મંદિરથી શરૂ થઈ હતી..
પુણે નસરપુર ગામમાં વધારી સુરક્ષા
પુણેના નસરપુર ગામમાં ભારે વિરોધ પ્રદર્શનને કારણે પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. નસરપુર ગામના સુપરમાર્કેટ ચોકમાં ગ્રામજનોએ ધરણા શરૂ કર્યા છે. આ વિસ્તારમાં મહારાષ્ટ્ર રાજ્ય રિઝર્વ પોલીસ દળ (SRPF) અને ગ્રામીણ પોલીસની ત્રણ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. આ ઘટના બાદ ગામમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ છે અને સુરક્ષા હેતુઓ માટે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.