Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં પણ ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના, પ્રેમીએ જાહેરમાં પ્રેમિકાની હત્યા કરી

Webdunia
બુધવાર, 9 માર્ચ 2022 (11:44 IST)
અમદાવાદમાં સુરતના જેવી એક ઘટના ઘટી છે, જેમાં એક પ્રેમીએ એક તરફી પ્રેમમાં પ્રેમિકાની હત્યા કરી નાખી છે. શહેરના માધુપુરા વિસ્તારમાં આવેલી ડામરની ચાલીમાં રહેતાં મહિલા પર એક તરફી પ્રેમમાં પાગલ યુવાને ચાકુના ઘા મારીને હત્યા કરી દીધી છે.

 
એસીપી. ડી.એસ. પટેલે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કહ્યું કે "માધુપુરા ડામરની ચાલીમાં રહેતી બે સંતાનની માતાના એના જ વિસ્તારમાં રહેતો નવીન રાઠોડ નામનો યુવાન પ્રેમમાં હતો."
 
"મહિલાએ એની સાથે પ્રેમસંબંધ રાખવાની ના પાડતા એક તરફી પ્રેમમાં પાગલ નવીને શાકભાજી ખરીદી રહેલાં મહિલા પર ચાકુના ઘા કરતાં એમનું મૃત્યુ થયું છે."
 
ગુજરાતના મીડિયામાં આ હત્યાનાં સીસીટીવી ફૂટેજ પણ દર્શાવાઈ રહ્યાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યારે નાસી છૂટેલા નવીન રાઠોડની શોધ કરી રહી છે.
આ ઘટના પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર બની હતી. ત્યારે એવા પણ સવાલો થઈ રહ્યા છે કે પોલીસ સ્ટેશનથી આવી ઘટનાને અંજામ આપવાની આરોપીની હિંમત કેવી રીતે થઈ.
 
તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બનતી આવી ઘટનાને લઈને ફરી મહિલાઓની સુરક્ષા સામે પણ સવાલો થઈ રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments