Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમનું નામ નિરંજન શાહ કરાયું

Webdunia
ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2024 (12:34 IST)
સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા નિર્મિત આંતરરાષ્‍ટ્રીય સ્‍તરના રાજકોટના ક્રિકેટ સ્‍ટેડિયમનું સંસ્‍થાના માનદ મંત્રી તરીકે વર્ષો સુધી અવિરત સેવા પ્રદાન કરનાર નિરંજન શાહનું નામ આપવામાં આવ્યું છે. જેનો વિધિવત નામકરણ સમારોહ આજે જય શાહની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

વર્ષ 2013માં રાજકોટમાં ક્રિકેટ સ્‍ટેડિયમનું ઉદ્‌ઘાટન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતીમાં સ્પીચ આપીને સ્ટેડિયમના નામકરણ પાછળની સફર વર્ણવતા જય શાહે જણાવ્યું હતું કે, નિરંજન શાહે ક્રિકેટમાં આપેલું યોગદાન વિશેષ છે. ગુજરાતના 3 એસોસિએશન છે, આમ છતાં આજે બેસ્ટ ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજા, 100 ટેસ્ટ રમનાર ચેતેશ્વર પૂજારા અને જયદેવ ઉનડકટ જેવા ફાસ્ટ બોલર નિરંજનભાઈની ઓળખથી જ મળ્યા છે.

<

ICYMI!

A glittering evening in Rajkot as the stadium is renamed as Niranjan Shah Stadium #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/b3AWfUmx8d

— BCCI (@BCCI) February 15, 2024 >
સૌરાષ્ટ્રની રણજી ટીમ બે વાર ચેમ્પિયન બની છે, 3 વાર રનર્સ અપ બની છે અને વિજય હઝારેમાં પણ ચેમ્પિયન બની છે.વધુમાં ઉમેર્યું હતું કે, મને યાદ છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનતું હતું, ત્યારે પૈસાની તકલીફ પડી હતી. આ સમયે નિરંજનભાઈનો જ કોલ આવ્યો હતો અને જે મદદ જોઈતી હશે, હું કરીશ તેવું કહ્યું હતું. આ સાથે વર્લ્ડ કપની મેચને યાદ કરતા જણાવ્યું હતું કે, વર્લ્ડકપમાં સતત 10 મેચ જીતી હતી. આપણે કપ ન જીત્યા, પણ લોકોના દિલ જીત્યા છે. હવે (20-ટી) 2024માં રોહિત શર્માની આગેવાનીમાં જ જરૂર ચેમ્પિયન થશું અને તિરંગો લહેરાવીશું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતમાં ભારે વરસાદને કારણે 56 ટ્રેનો રદ

રાજકોટ, જામનગર મોરબી સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર અતિભારે વરસાદ

રાજ્યમાં ભારે વરસાદને કારણે 7 વ્યક્તિઓના મૃત્યુ, 1696 લોકોનું રેસ્ક્યુ કરાયું

રાજકોટમાં આજથી લોકમેળો રદ્દ, સ્ટોલધારકોની ભાડાની રકમ અને ડિપોઝીટ રિફંડ કરાશે

સોનું અને ચાંદી સસ્તા થયા, જાણો 22-24 કેરેટ સોનાના ભાવ કેટલા રૂપિયા ઘટ્યા

આગળનો લેખ
Show comments