Webdunia - Bharat's app for daily news and videos

Install App

NZvsIND 2nd Test: ન્યુઝીલેંડે બીજી ટેસ્ટમાં ભારતને 7 વિકેટથી હરાવ્યુ, 2-0 થી કર્યુ ક્લીન સ્વીપ

Webdunia
સોમવાર, 2 માર્ચ 2020 (10:03 IST)
ન્યુઝીલેંડ ક્રિકેટ ટીમે ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલ બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટના ત્રીજા જ દિવસે ભારતને સાત વિકેટથી હરાવીને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી ક્લીન સ્વિપ કરી. ભારત દ્વારા આપવામાં આવેલ 132 રનના લક્ષ્યનો પીછો કરતા ન્યુઝીલેંડે 3 વિકેટ પર 132 રન બનાવીને જીત નોંધાવી. ન્યુઝીલેંડની તરફથી ઓપનિંગ બેટ્સમેન ટૉમ બ્લંડેલ (55) અને ટૉમ લાથમ (52)એ હાફસેંચુરી મારી. બહરતે આજે 6 વિકેટ પર 90 રનથી આગળ રમતા બીજા દાવમાં માત્ર 124 રન પર જ ઓલઆઉટ થઈ ગયુ. જેનાથી ન્યુઝીલેંડને જીત માટે 132 રનનુ લક્ષ્ય મળ્યુ.
 
ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ટી20 સીરીઝ 5-0થી જીત્યા બાદ ભારતીય ટીમને વનડેમાં પણ કિવીઓ તરફથી 0-3થી વ્હાઇટ વૉશનો સામનો કરવો પડ્યો હતો, હવે ટેસ્ટમાં પણ 0-2થી વ્હાઇટ વૉશનો સામનો કરવો પડ્યો છે. વિરાટ કોહલી એન્ડ કંપની માટે આ શરમજનક વાત બની છે.
 
બીજા દિવસની રમતની સમાપ્ત થતા પહેલા ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઇનિંગ રમી 6 વિકેટ ગુમાવ્યા બાદ 90 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસે તેની બીજી ઇનિંગમાં ભારતે 4 વિકેટ ગુમાવી 34 રન બનાવ્યા હતા. આ રીતે, ભારતની આખી ટીમ 124 રનના સાધારણ સ્કોર પર તૂટી ગઈ. ભારત તરફથી ચાર રન ફટકાર્યા બાદ બુમરાહ અણનમ રહ્યો. ન્યૂઝીલેન્ડને આ ટેસ્ટ મેચ અને શ્રેણી 2-0થી જીતવા માટે માત્ર 132 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
 
 
39 મી ઓવરના ચોથા બોલ પર ટીમ સાઉદીએ હનુમા વિહારીને પેવેલિયન મોકલ્યો. વિહારીએ 18 બોલમાં 2 ચોગ્ગાની મદદથી કુલ 9 રન બનાવ્યા. આ પછી, બોલ્ટે 40 મી ઓવરના ત્રીજા બોલ પર ઋષભ પંતની વિકેટ પણ મેળવી હતી. પંતે 14 બોલમાં માત્ર 4 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમી પણ 43 મી ઓવરના ચોથા બોલ પર આઉટ થયો હતો. શમીએ 11 બોલમાં 5 રન બનાવ્યા હતા.
 
46 મી ઓવરના અંતિમ બોલ પર ભારતીય જોડી વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો.જાડેજા રન લેવા માંગતો ન હતો આ કારણે બુમરાહને પાછું જવું પડ્યું હતું. પરંતુ તે તેની ક્રીઝ પર પહોંચે તે પહેલાં જ ગિલી ઉથલપાથલ થઈ ગઈ હતી. બુમરાહે 14 બોલ રમીને 4 રન બનાવ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments