Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈગ્લેંડ વિરુદ્ધ ટીમ ઈંડિયાની તૈયારીઓને લાગી શકે છે ઝટકો, કોહલી પણ થઈ ચુક્યા છે કોરોના સંક્રમિત - રિપોર્ટ

Webdunia
બુધવાર, 22 જૂન 2022 (15:06 IST)
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટના હવાલાથી સમાચાર મળી રહ્યાં છે કે, વિરાટ કોહલી માલદીવથી પરત પહોંચ્યા બાદ કોરોનાની ઝપેટમાં આવ્યો હતો, પરંતુ લંડન પહોંચ્યા બાદ આની પુષ્ટી થઇ. પરંતુ હાલમાં તે આ બિમારીમાંથી બહાર નીકળી ગયો છે અને રમવા માટે પુરેપુરો ફિટ છે. રિપોર્ટનુ માનીએ તો રવિચંદ્રન અશ્વિન પણ ઇંગ્લેન્ડ પ્રવાસ પર જતા પહેલા કોરોનાથી સંક્રમિત થયો હતો, એટલા માટે તેને સાથી ખેલાડીઓની સાથે જવાનો ઇનકાર કર્યો હતો. 
 
ઉલ્લેખનીય છે કે  ભારત અને ઈંગ્લેન્ડ આવતા મહિને બર્મિંગહામમાં રમાનારી એકમાત્ર ટેસ્ટમાં સામસામે ટકરાશે. આ પહેલા ટીમ ઈન્ડિયા 24 જૂનથી લીસેસ્ટર કાઉન્ટી ટીમ સામે પ્રેક્ટિસ મેચ રમશે. આ માટે ભારતીય ખેલાડીઓ પણ લીસેસ્ટર પહોંચી ગયા છે, પરંતુ આ મેચ પર ખતરાના વાદળો મંડરાઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ગયા અઠવાડિયે લંડન પહોંચેલ વિરાટ કોહલી પણ કોરોના સંક્રમિત જોવા મળ્યા હતો. જો કે, હવે તે સ્વસ્થ છે. 
 
આ ખેલાડીઓ પણ પહોંચ્યા હતા- 
કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, ઋષભ પંત અને શ્રેયસ અય્યર સિવાય અન્ય તમામ ખેલાડીઓ 16 જૂને લંડન પહોંચ્યા હતા. આ પછી હિટમેન 18 જૂને લંડન પહોંચ્યો હતો. હવે તમામ ખેલાડીઓ લેસ્ટર પહોંચી ગયા છે. અહીં ટીમ ઈન્ડિયા 24 જૂનથી કાઉન્ટી ટીમ લેસ્ટર સામે ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે. તે જ સમયે, આફ્રિકા શ્રેણી સમાપ્ત થયા પછી, કોચ દ્રવિડ, શ્રેયસ અય્યર અને ઋષભ પંત સોમવારે લેસ્ટર પહોંચ્યા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments