Publish Date: Wed, 05 Mar 2025 (13:38 IST)
Updated Date: Wed, 05 Mar 2025 (13:58 IST)
IND vs AUS: ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયંસ ટ્રોફી 2025ના સેમીફાઈનલ મુકાબલામાં 4 વિકેટથી માત આપવા સાથે ખિતાબી મેચ માટે પોતાનુ સ્થાન પાક્કુ કરી લીધુ છે. આ મેચમાં ટીમ ઈંડિયાની ફિલ્ડિંગ પણ શાનદાર જોવા મળી. જેમા મુકાબલા પછી બેસ્ટ ફિલ્ડરનો મેદલ શ્રેયસ ઐય્યરને મળ્યો.
આઈસીસી ચેમ્પિયંસ ટ્રોફી 2025ની પહેલે સેમીફાઈનલ મુકાબલો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈના મેદાન પર 4 માર્ચના રોજ રમાયો, જેમા રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈંડિયાએ 4 વિકેટથી મેચ પોતાને નામે કરવાની સાથે ફાઈનલમાં પોતાનુ સ્થાન પાક્કુ કરવાની સાથે કાંગારૂ ટીમની યાત્રા આ ટૂર્નામેંટમાં અહી જ ખતમ કર્યુ. ભારતીય ટીમને સેમીફાઈનલ મેચમા જીત મેળવવા માટે 265 રનોનુ ટારગેટ મળ્યુ હતુ. જેને તેમણે 48.1 ઓવરમા મેળવી લીધુ. ટીમ ઈન્ડિયાના લક્ષ્યનો પીછો કરતી વખતે, વિરાટ કોહલીએ 84 રન બનાવ્યા જ્યારે શ્રેયસ ઐયરે 45 રન બનાવ્યા. આ મેચમાં ભારતીય ટીમની ફિલ્ડિંગ પણ ઉત્તમ જોવા મળી હતી, જેમાં મેચ પછી શ્રેષ્ઠ ફિલ્ડર મેડલ પણ આપવામાં આવ્યો હતો, જેનો વીડિયો BCCI દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.
રવિ શાસ્ત્રીએ શ્રેયસ ઐયરને બેસ્ટ ફિલ્ડર મેડલ એનાયત કર્યો.
સેમિફાઇનલ મેચમાં ભારતની ફિલ્ડિંગ ઘણી સારી હતી જેમાં શુભમન ગિલે ટ્રેવિસ હેડનો શાનદાર રનિંગ કેચ પકડ્યો હતો જ્યારે શ્રેયસ ઐયરના શાનદાર થ્રોએ એલેક્સ કેરીને પેવેલિયન પાછો મોકલી દીધો હતો. શ્રેયસ ઐય્યરને સેમિફાઇનલ મેચમાં શ્રેષ્ઠ ફિલ્ડરનો મેડલ મળ્યો જેમાં તેણે રન આઉટ કર્યો અને બાઉન્ડ્રી પર ઉત્તમ ફિલ્ડિંગ પણ કરી. આ મેડલ તેમને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો, જેઓ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં આવ્યા હતા. આ દરમિયાન રવિ શાસ્ત્રીએ ભારતીય ટીમને તેમના ઉત્તમ પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા અને એમ પણ કહ્યું કે જ્યારે બે ચેમ્પિયન ટીમો મેદાન પર રમે છે ત્યારે ચારિત્ર્ય દેખાય છે જે આજની રમતમાં જોવા મળ્યું. તે એક સંપૂર્ણ ટીમ પ્રયાસ છે જે તમને અંતિમ રેખા સુધી પહોંચાડે છે. હવે તમારે ફાઇનલમાં પણ આવી જ રમત બતાવવી પડશે.
ન્યુઝીલેંડ કે સાઉથ આફ્રિકા સાથે થશે ખિતાબી ટક્કર
ભારતીય ટીમે એક બાજુ ચેમ્પિયંસ ટ્રોફી 2025ના ફાઈનલ મુકાબલા માટે પોતાનુ સ્થાન પાક્કુ કરી લીધુ તોબીજી બ બાજુ તેઓ કંઈ ટીમ સાથે ટકરાશે તેનો નિર્ણય 5 માર્ચના રોજ સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેંડની વચ્ચે રમાનારી બીજી સેમીફાઈનલ મેચ દ્વારા થશે જે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈંડિયા ફાઈનલમાં પ્રવેશતાની સાથે એ પણ નક્કી થઈ ગયુ કે ખિતાબી મુકાબલો 9 માર્ચના રોજ દુબઈના મેદાનમાં રમાશે.