Webdunia - Bharat's app for daily news and videos

Install App

India vs Bangladesh T20 - બાંગ્લાદેશે ભારતને 7 વિકેટે હરાવ્યું

Webdunia
રવિવાર, 3 નવેમ્બર 2019 (20:53 IST)
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટી-20માં બાંગ્લાદેશે ભારતને 7 વિકેટ હરાવ્યું છે. ભારતે આપેલા 149 રનના પડકારનો પીછો કરતાં બાંગ્લાદેશે 19.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો હતો. બાંગ્લાદેશ માટે વિકેટકીપર મુશફિકર રહીમે સૌથી વધુ નોટઆઉટ 60 રન બનાવ્યા હતા. સૌમ્ય સરકારે 39 રન બનાવ્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 60 રનની પાર્ટનરશીપ કરી હતી. 
 
ભારતે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતેની પ્રથમ ટી-20માં બાંગ્લાદેશને 149 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત માટે ઓપનર શિખર ધવને સર્વાધિક 41 રન કર્યા હતા. તે સિવાય ઋષભ પંતે 27 રન અને શ્રેયાંસ ઐયરે 12 બોલમાં 22 રનનું યોગદાન આપ્યું હતું. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી ન શક્યો. બાંગ્લાદેશ માટે અમિનુલ ઇસ્લામ અને એસ ઇસ્લામે 2-2 વિકેટ લીધી હતી. ભારતે 18 ઓવરમાં 118 રન જ કર્યા. જોકે તે પછી વોશિંગ્ટન સુંદર અને કૃણાલ પંડ્યાએ અંતિમ 2 ઓવરમાં 30 રન ફટકારીને ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોચાડ્યું. સુંદરે 5 બોલમાં 14 અને પંડ્યાએ 8 બોલમાં 15 રન કર્યા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments