baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના વેક્સીનની બીજી ખોરાક જરૂરી 95% સુધી ઓછુ હોય છે મૌતનો ખતરો

corona vaccine in gujarat
, શુક્રવાર, 16 જુલાઈ 2021 (21:08 IST)
કોરોનારોધી રસી લગાવ્યા પછી સંક્રમણ ભલે જ થઈ જાય પણ મોતનો ખતરો 95 ટકા સુધી ઓછું થઈ જાય છે. પૂર્વ અભ્યાસમાં આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે પણ એક વધુ આવુ અભ્યાસ સામે આવ્યુ છે. આ અભ્યાસ તમિલનાડુના પોલીસકર્મીઓ પર કરાયુ છે. પોલીસકર્મીઓને કોરોના સંક્રમણના હિસાબે ઉચ્ચ જોખમવાળા સમૂહમાં ગણાય છે. 
 
નીતિ આયોગના સભ્ય ડૉ. વી કે પૉલએ શુક્રવારે આ અભ્યાસની વિગતો રાખી હતી. તેમણે કહ્યું કે આ વાસ્તવિક ડેટાના આધારે અભ્યાસ છે. તે જાણવા મળ્યું છે કે તમિળનાડુ પોલીસ  રસી ન લેતા 17059 
કર્મચારીઓમાંથી, 20 કોરોનાની બીજી લહેરના દરમિયાન મૃત્યુ થયા હતા. એટલે કે, ત્યાં એક હજાર દીઠ 1.17 લોકોના મૃત્યુ થયા હતા.
 
32792 પોલીસકર્મીઓએ રસીની એક  ડોઝ  લીધી હતી. તેમાંથી સાત લોકોની મૃત્યુ થઈ. આ રીતે દર એક હજાર પર 0.21 મોત થઈ. ત્રીજા ગ્રુપમા& તે પોલીસકર્મી હતા જેણે બન્ને રસી લગાવી લીધી હતી. તેની સંખ્યા 67673 હતી. તેમાંથી માત્ર ચાર લોકોની મોત થઈ. એટલે કે દર હજાર પર મૃત્યુ દર માત્ર 0.06 રહી. 
 
એક ખોરાકથી મૃત્યુનો ખતરો 82% સુધી ઓછુ 
પૉલએ કહ્યુ કે રસીની એક  ડોઝથી મૃત્યુનો ખતરો 82 ટકા અને બન્ને ડોઝથી 95 ટકા ઓછુ હોય છે. આ અભ્યાસ તે લોકો પર છે જે કોરોના સંક્રમણના હિસાબે વધારે સંવેદનશીલ છે. આ દર્શાવે છે કે પૂર્વ રસીકરણ મૃત્યુથી આશરે આશરે પૂર સુરક્ષા આપે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત કોરોના બુલેટીન: આજે નોંધાયા 39 કેસ, આજેપણ એકપણ દર્દીનું મોત નહી