Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિદેશથી પરત ફરેલા 110 લોકો ઘરની બહાર નહીં જઈ શકે, સંપર્કમાં આવેલા 700નું આજથી સ્ક્રીનિંગ

Corona Virus effects
, મંગળવાર, 17 માર્ચ 2020 (12:14 IST)
ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર લોકોમાં ભય રૂપે જોવા મળી રહ્યો છે. સરકારે હવે એપેડેમિક ડિસીઝ રેગ્યુલેશન એક્ટ લાગુ કર્યો છે જેનાં કાયદા પ્રમાણેના 10મા મુદ્દા અંતર્ગત વિદેશથી આવતા લોકો આઈસોલેશનમાં જવાનો ઈન્કાર કરે તો તંત્ર પાસે આવા યાત્રીકોની મરજી વિરૂદ્ધ તેમને આઈસોલેશનમાં રાખવામાં આવે તેવી સત્તા રહેશે. રાજકોટ શહેરમાં વિદેશથી આવેલા 76, જ્યારે ગ્રામ્યમાં 34 યાત્રિકો છે જે 14 દિવસ સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રહેશે. આ તમામને ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવાઈ છે અને જો તેઓ આઈસોલેશનમાં રહેવાની ના પાડે તો તંત્ર તેમને અલગથી આઈસોલેશનમાં રાખી શકશે. કોરાના શંકાસ્પદોની સંખ્યા વધતા આ લોકોના ક્લોઝ કોન્ટેક્ટ જેમ કે પરિવારજનો સહિતના 700 લોકોનું મંગળવારથી સ્ક્રીનિંગ શરૂ થશે. જૈન વિઝનના જણાવ્યા અનુસાર કોરોનાને લઈને ભીડ ન કરવા માટે સરકારે પ્રયાસો આદર્યા છે જેને માન આપીને આગામી સમયમાં મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ રદ કરાયો છે. ખોડલધામ ટ્રસ્ટે 31 માર્ચ સુધી કોઇ ધાર્મિક કાર્યક્રમો ન કરવા તેમજ ભાવિકોને મોટી સંખ્યામાં ન આવવા વિનંતી કરી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona Virus- સીબીએસઈએ બોર્ડ પરીક્ષાઓ માટે કર્યુ મોટું ફેરફાર આજથી થશે લાગૂ