Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઝડપથી પગ પસારી રહ્યો છે કોરોના, 24 કલાકમાં 3300થી વધુ કેસ, 39ની મોત, સક્રિય દર્દીઓની સંખ્યા વધી

Webdunia
ગુરુવાર, 28 એપ્રિલ 2022 (11:40 IST)
દેશમાં કોરોનાનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. વધતા સંક્રમણથી સામાન્ય લોકોની સાથે સરકારની ચિંતા વધી ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3303 કેસ નોંધાયા છે અને 39 દર્દીઓના મોત થયા છે.  આ સમયગાળા દરમિયાન 2,563 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા પણ વધીને 16,980 થઈ ગઈ છે, જે આવનારા સમય માટે લાલબત્તી સમાન છે. રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 5,23,693 લોકોના મોત થયા છે. જણાવી દઈએ કે બુધવારે જાહેર કરાયેલા ડેટામાં છેલ્લા 24 કલાકમાં 2,927 કેસ સામે આવ્યા છે અને 32 લોકોના મોત થયા છે. તે જ સમયે, સૌથી મોટી ચિંતા એ છે કે 40 ટકા નવા કેસ રાજધાની દિલ્હીમાંથી મળી રહ્યા છે.
 
6 ફેબ્રુઆરી પછી દિલ્હીમાં સૌથી વધુ કેસ
દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,367 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 4800 થી વધુ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોના વાયરસના 1,367 નવા કેસ નોંધાયા છે, જે 6 ફેબ્રુઆરી પછી સૌથી વધુ છે.
 
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 186 કેસ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 186 કેસ નોંધાયા છે અને કોઈનું મોત થયું નથી. આ સાથે, રોગચાળાની શરૂઆતથી રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 78,77,264 થઈ ગઈ છે. જ્યારે કુલ મૃતકોની વાત કરીએ તો તે 1,47,838 પર સ્થિર છે. બીજી તરફ મુંબઈની વાત કરીએ તો અહીં કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે, જે 27 ફેબ્રુઆરી પછી એક જ દિવસમાં સૌથી વધુ છે. આજે શહેરમાં 112 નવા કેસ નોંધાયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments