Webdunia - Bharat's app for daily news and videos

Install App

Child care - બાળકોની શરદી-ખાંસીથી પરેશાન છો... તો અપનાવો આ ઉપાય

Webdunia
મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (12:37 IST)
શરદી-ખાંસી હંમેશા એલર્જીને કારણે આવે છે. જ્યારે પણ શિશુને ઠંડી લાગે છે કે પછી ખાંસી આવે ત્યારે માતા-પિતાનું પહેલું પગલું તેને પ્રાકૃતિક રીતે ઇલાજ આપવાનું હોવું જોઇએ. કોઇપણ માતા-પિતા તેમના નાનકડાં જીવને ભારે દવાઓ આપીને સાજો કરવા નથી ઇચ્છતા. અહીં કેટલાંક એવા જ પ્રાકૃતિક ઇલાજો સૂચવવામાં આવ્યાં છે તે તમારા બાળકની શરદી-ખાંસીને જડથી દૂર કરી દેશે.
 
કેટલાંક પ્રભાવી અને સુરક્ષિત ઘરેલુ ઉપચાર -
 
સ્ટીમ - નાક બ્લોક થઇ ગયું હોય તો સ્ટીમ એટલે કે નાસ લીધા સિવાય ઉત્તમ ઉપચાર બીજો કોઇ નથી. ગરમ હવા શિશુના કફને ઓગાળી દે છે. પણ હા, તમે તેને કેવી રીતે નાસ અપાવશો? તો આના માટે તમારા બાથરૂમમાં ગરમ શાવર ચાલુ કરી દરવાજો બંધ કરી દો. 15 મિનિટ માટે દિવસમાં બેવાર બાળકને તે જ રૂમમાં લઇને બેસી જાઓ. આનાથી ફેફસા અને નાકમાં થયેલું બ્લોકેજ દૂર થશે.
 
મધ અને લીંબુ - આ ઉત્તમ પ્રાકૃતિક ઇલાજ છે જે છાતીમાંથી કફને બહાર કાઢે છે. લીંબુ અને મધ મિક્સ કરીને આપવાથી ગળામાં રાહત મળે છે, ઇન્ફેક્શન દૂર થાય છે અને સાથે અન્ય લાભ તો ખરાં જ. આના માટે તમારે તમારા બાળકને ગરમ પાણીમાં મધ અને લીંબુ મિક્સ કરી પીવડાવવાનું છે.
 
હળદર - ખાંસીના ઇલાજ માટે આ એક સ્વસ્થ અને વિશ્વસનીય મસાલો છે. જો બાળક બહુ નાનું છે અને તે હજુ દૂધ પર છે તો તેને દૂધ પીવડાવતી વખતે તમારા બ્રેસ્ટ પર થોડી હળદર ચોપડી દો. જો બાળક બોટલ દ્વારા દૂધ પીવે છે તો તેના દૂધમાં થોડી હળદર મિક્સ કરી તેને પીવડાવો. શિશુને દિવસમાં બેવાર હળદરવાળું દૂધ પીવડાવવાથી રાહત મળશે.
 
તેલ માલિશ - જરૂરી તેલથી માલિશ કરવાથી બાળકનો કફ દૂર થાય છે. નિલગિરિ, મહેંદી, પિપરમિન્ટ વગેરેના તેલથી શિશુને માલિશ કરવાથી ફાયદો થાય છે. એક મિશ્રણ બનાવો જેમાં ઓલિવ ઓઇલ અને આ તેલોને મિક્સ કરી બાળકની છાતી પર માલિશ કરો. આમ કર્યા બાદ બાળકના શરીરને કપડા કે ચાદરથી આખું ઢાંકી દો જેનાથી જેથી તેના શરીરમાં ગરમી પેદા થાય અને તેલ પોતાની અસર દેખાડી શકે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments