Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમારા બાળકને ખાંસી રાત્રે સૂવા નથી દેતી ? આ દેશી ઉપાય રહેશે કારગર

Webdunia
શુક્રવાર, 30 એપ્રિલ 2021 (13:38 IST)
નાના બાળકોની ઈમ્યુનિટી નબળી હોય છે. તેથી જલ્દી જ રોગોની ચપેટમાં આવી શકે છે. બદલતા મોસમમાં તેને ખાંસીની સમસ્યા વધારે હોય છે. ખાસ કરીને રાત્રેના સમયે આ પરેશાનીથી ઝઝૂમે છે. આ કારણે તે 
રાત્રે સૂઈ પણ નહી શકતા. પણ ઉંઘ પૂરી ન થવાથી તે બીજા રોગોની ચપેટમાં આવી શકે છે. પણ આજે અમે તમારા માટે કેટલાક ઘરેલૂ ઉપાય લઈને આવ્યા છે. તેની મદદથી બાળકને ખાંસીની સમસ્યાથી આરામ 
મળશે. 
 
બાળકને ખાંસી આવવાના કારણ 
વાયરલ ઈંફેક્શન 
બાળકની ઈમ્યુનિટી નબળી હોય છે. તેથી વાયરલ ઈંફેક્શનની ચપેટમાં જલ્દી આવી જાય છે. આ રીતે શરદી અને ફ્લૂની ચપેટમાં આવવાથી તેમના ગળામાં ખરાશ અને ખાંસી હોય છે. 
 
એલર્જી 
બાળકને કોઈ વસ્તુથી એલર્જી હોવાથી ખાંસીની પરેશાની થઈ શકે છે . સામાન્ય રૂપે બાળકોને ધૂળ-માટીથી એલર્જી હોય છે. 
 
અસ્થમા
ખાંસી આવવાનું  એક કારણ અસ્થમા પણ ગણાય છે તેના કારણે બાળકને છાતીમાં ભારે ફીલ થવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગે છે. 
 
આ ઉપાયોથી બાળકોને અપાવો ખાંસીથી આરામ 
 
સાકર - બાળકને સાકર ખવડાવો આ ગળામાં ભીનાશ રાખવામાં મદદ કરે છે. તેથી ગળાની ખરાશ, બળતરા અને ખાંસીથી છુટકારો મળશે. તમે ઈચ્છો તો તેની જગ્યા બાળકને ટૉફી પણ ખવડાવી શકો છો. 
 
હળદર અને મધ  - તેમાં એંટી બેક્ટીરિયલ, એંટી વાયરસ અને ઔષધીય ગુણ હોય છે. તેથી 1 ચમચી મધમાં ચપટી હળદર ખવડાવો. મધથી ગળુ ભીનુ રહેશે. તેથી સૂકી ખાંસીથી આરામ મળશે. પણ જો આ વાતની કાળજી રાખવી કે આ મિશ્રણ 1 વર્ષથી મોટા બાળકોને જ ખવડાવવું. 
 
નીલગિરી તેલ - 2 વર્ષથી ઓછા બાળકની ખાંસી દૂર કરવા માટે તેના માથાની પાસે નીલગીરી તેલ 2-3 ટીંપા નાખો. તેનાથી તેની બંધ નાક ખુલવમાં મદદ મળશે. તમે ઈચ્છો તો તેને કોઈ કપડામાં નાખી પણ બાળકને સૂંઘાડી શકો છો. છતાંય તેને બાળક પર કપડા પર લગાવવું પણ ઉચિત રહેશે. પણ તેનાથી બાળકની ગળાની મસાજ  કરવાની ભૂલ ન કરવી. 
 
હળદર - હળદર પોષક તત્વ,  એંટી બેક્ટીરિયલ અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેથી તેનુ  સેવન કરવાથી ઈમ્યુનિટી વધવાની સાથે મોસમી રોગોથી બચાવ રહે છે. તેના માટે તમે બાળકને દરરોજ સૂતા પહેલા ગરમ દૂધમાં 2 ચપટી હળદર મિક્સ કરી પીવડાવી શકો છો. જો નાનુ બાળક છે તો તેંને આ દૂધ કેટલીક ચમચી પીવડાવો. તેનાથી બાળકની ખાંસી, શરદી વગેરે મોસમી રોગોથી રાહત મળશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments