Publish Date: Wed, 06 May 2026 (15:36 IST)
Updated Date: Wed, 06 May 2026 (15:54 IST)
Trisha Krishnan Net Worth: ત્રિશા કૃષ્ણન છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચર્ચામાં છે. ખાસ કરીને સૂર્યા સાથે ફિલ્મ 'કરપ્પુ' માં તેની ઝલક જોયા પછી. આ ઉપરાંત તેમની પર્સનલ લાઈફને લઈને પણ અનેક અફવાઓ ઉડી રહી છે. એવુ કહેવાય રહ્યુ છે કે થલાપતિ વિજય અને તેની વચ્ચે કંઈક ખાસ દોસ્તી છે. જો કે બંનેયે અત્યાર સુધી આ સંબંધ કે દોસ્તી વિશે કોઈ કમેંટ કરી નથી. 4 મે ના રોજ જ્યારે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં વિજયે જીતનો પરચમ લહેરાવ્યો તો તૃષા પણ ચર્ચામાં હતી. એ દિવસે તેનો જન્મદિવસ હતો અને એ વિજયની ખુશીઓમા સામેલ થવા માટે સીધી તેમના ઘરે પહોચી ગઈ હતી. છોડો આ અફેયર અને લિંકઅપની વાતો તો થતી રહે છે. આજે આપણે જાણીએ આ સાઉથ અભિનેત્રેની નેટવર્થ વિશે.. કારણે ફેંસ ત્રિશા વિશે દરેક નાની મોટી વાત જાણવા માંગે છે તો આ જ સમય છે એ વિશે વાત કરવાનો.
ત્રિશા કૃષ્ણનની નેટ વર્થ
ETimes ની એક રિપોર્ટ મુજબ તૃષા કૃષ્ણનની નેટ વર્થ લગભગ 85 કરોડ રૂપિયા છે. તેણે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ બંને જીદગીઓને ધીરે ધીરે મજબૂતીથી બનાવી છે અને તે પોતાની આલીશાન લાઈફસ્ટાઈલ માટે ઓળખાય છે. .
દક્ષિણ ભારતીય સિનેમામાં, ખાસ કરીને તમિલ અને તેલુગુ ફિલ્મોમાં એક જાણીતી અભિનેત્રી તરીકે, તેણીને ખાસ કરીને "પોનીયિન સેલ્વન" ની સફળતા પછી, નોંધપાત્ર ફી મળી છે. GQ India અનુસાર, ત્રિશાને થલાપતિ વિજયની સામે "લિયો" માં તેની ભૂમિકા માટે આશરે રૂ. 5 કરોડ (આશરે 1.5 મિલિયન ડોલર) ચૂકવવામાં આવ્યા હતા. વધુમાં, તેણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પ્રમોશનલ પ્રવૃત્તિઓ દ્વારા આશરે રૂ. 9 કરોડ (આશરે 1.5 મિલિયન ડોલર) કમાય છે.
પ્રોપર્ટીની વાત કરીએ તો ત્રિશા પાસે ચેન્નઈમાં એક આલીશાન ઘર છે. જેની કિમંત લગભગ 10-12 કરોડ રૂપિયા છે. એવુ પણ માનવામાં આવે છે કે હૈદરાબાદમાં પણ તેની એક પ્રોપર્ટી છે. જેની કિમંત લગભગ 6-7 કરોડ રૂપિયા છે.
ત્રિશા કૃષ્ણન તેની પ્રીમિયમ કારના કલેક્શન માટે પણ જાણીતી છે. તેના પ્રીમિયમ કલેક્શનમાં મર્સિડીઝ-બેન્ઝ S-Class, BMW 5 Series, Range Rover Evoque અને મર્સિડીઝ-બેન્ઝ E-Class જેવા મોડલનો સમાવેશ થાય છે.
વર્કફ્રંટ પર શુ છે અપડેટ ?
ત્રિશા કૃષ્ણન છેલ્લે કમલ હાસન અને સિલમ્બરસન ટીઆર સાથે ફિલ્મ "ઠગ લાઈફ" માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. મણિરત્નમ દ્વારા દિગ્દર્શિત આ ગેંગસ્ટર એક્શન ડ્રામામાં ઐશ્વર્યા લક્ષ્મી, અભિરામી, અશોક સેલ્વન, જોજુ જ્યોર્જ, નાસ્સર અને મહેશ માંજરેકર પણ હતા.
આગામી સમયમાં, તે આરજે બાલાજીના દિગ્દર્શન હેઠળની ફિલ્મ "કરુપ્પુ" માં સુર્યા સાથે જોવા મળશે. આ કાલ્પનિક એક્શન ફિલ્મ એક અસ્તવ્યસ્ત દુનિયામાં સેટ છે જ્યાં ભય, અન્યાય અને દુઃખ રોજિંદા જીવનનો ભાગ બની ગયા છે. આ ઉથલપાથલ વચ્ચે, એક રહસ્યમય માણસ હીરો તરીકે ઉભરી આવે છે. આ ફિલ્મ 14 મે, 2026 ના રોજ રિલીઝ થવાની છે.