Publish Date: Thu, 18 Apr 2019 (16:37 IST)
Updated Date: Thu, 18 Apr 2019 (16:40 IST)
ભાજપની દિલ્હીની ઑફિસમાં પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવ પ્રેસને સંબોધન કરી રહ્યા હતાં.
નવી દિલ્હીમાં ભાજપની ઑફિસમાં ચાલુ પ્રેસ કૉન્ફરન્સમાં જૂતું ફેંકાયાંની ઘટના બની છે.
લોકસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે ત્યારે ભાજપના નેતા જીવીએલ નરસિમ્હા રાવ પર જૂતાંનો ઘા કરવામાં આવ્યો છે.
જૂતું તેમને ચહેરાને સ્પર્શીને નીકળી ગયું હતું.
જૂતું ફેંકનાર વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ આની તપાસ ચાલી રહી છે.