Publish Date: Mon, 10 May 2021 (17:13 IST)
Updated Date: Mon, 10 May 2021 (17:15 IST)
જે અંતર્ગત અત્યાર સુધીમાં કોરોના જેવાં લક્ષણો ધરાવતાં પાંચ હજાર દર્દીઓને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે.
આ દરમિયાન તેમણે કોવિડથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવાની વાત પર ભાર મૂક્યો હતો.
તેમણે આ સૂચન ન અનુસરવાની વાતને 'ઘાતક' ગણાવી હતી અને કહ્યું હતું કે આના કારણે 'સમગ્ર કુટુંબને કોરોનાનો ચેપ' લાગી શકે છે.
આ બાબતે રાજ્ય સરકાર મારફતે જારી કરાયેલા નિવેદનમાં મુખ્ય મંત્રી રૂપાણીને ટાંકીને કહેવાયું હતું કે "રાજ્યમાં તમામ જરૂરી સંસાધનો ઉપલબ્ધ છે. લોકોએ ગભરાવવાની જરૂર નથી. કારણકે સરકાર તમારી પડખે ઊભી છે."
નોંધનીય છે કે પાછલા બે માસથી ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હતા.
જે કારણે ગુજરાતની અનેક હૉસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને અન્ય સુવિધાઓની ભારે અછતની ફરિયાદો ઊઠી હતી. જે બાદ રાજ્ય સરકારની ઘણી ટીકા પણ થઈ હતી.