Webdunia - Bharat's app for daily news and videos

Install App

700 કરોડની એસ.વી.પી. હોસ્પિટલમાં ઓપરેશન કર્યા વિના 50 હજારનું બિલ આપી દેવાયું

Webdunia
બુધવાર, 22 જાન્યુઆરી 2020 (12:08 IST)
રૂપિયા 700 કરોડના ખર્ચે કાર્યરત કરવામા આવેલી એસ.વી.પી.હોસ્પિટલનો વધુ એક છબરડો બહાર આવવા પામ્યો છે.જેમાં એક મહીલા દર્દીનુ ઓપરેશન કરવામા ન આવ્યુ હોવાછતા તેની સારવાર પેટે સત્તાવાળાઓએ રૂપિયા પચાસ હજારનુ બીલ આપી તેના સ્વજનો પાસેથી આ રકમ વસુલી લીધી છે. આશ્ચર્યની વાત તો એ છે કે,આ મહીલા પાસે આયુષ્યમાન ભારત યોજનાનુ કાર્ડ પણ હતુ.મહીલાને ઓપરેશન કરવાને બદલે સિવીલ હોસ્પિટલ મોકલી દેવાયા બાદ સિવીલમાં એની સારવાર ચાલી રહી છે. દરમિયાન વધુ એક છબરડામા ઘેરાયેલા અધિકારી કહે છે,આમ ભુલથી થઈ ગયુ છે અમે એના પરિવારજનોને બોલાવી લેવામા આવેલી રકમ પરત કરીશુ. પ્રાપ્ત વિગતો અનુસાર,જેતપુરના એક મહીલાને બ્રેઈન ટયુમર હોઈ અમદાવાદની એસ.વી.પી.હોસ્પિટલમાં ત્રણ જાન્યુઆરીના રોજ સારવાર માટે ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાયા હતા.માત્ર એક સપ્તાહ બાદ દસમી જાન્યુઆરીના રોજ સારવાર કરી રહેલા તબીબો દ્વારા કોઈ ચોકકસ કારણો આપ્યા વગર પેશન્ટને ડીસ્ચાર્જ આપી દીધો હતો. પેશન્ટના ડીસ્ચાર્જ સમયે તેના સ્વજનોને રૂપિયા પચાસ હજારનુ બીલ પકડાવી દેવામા આવ્યુ હતુ.દર્દીના સ્વજનો માટે આ બાબત આઘાતજનક તો હતી જ.પણ સારવાર મળે એ હેતુથી મહીલા દર્દીને સિવીલ હોસ્પિટલ લઈ જવાયા હતા.જયાં ઓપરેશન કરાયુ હતુ. આ તરફ એસ.વી.પી.ના મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરતા તેમણે ભુલ થઈ હોવાની બાબતનો સ્વીકાર કર્યો છે.તેમના કહેવા મુજબ,એસ.વી.પી.મા પેશન્ટને દાખલ કરાતી વખતે કલસ્ટર નકકી કરાય છે. આ કલસ્ટર મુજબ આ રકમ વસુલાઈ હશે.મહીલા પાસે આયુષ્યમાન ભારત યોજનાનુ કાર્ડ હોવાપરાંત સર્જરી જ નથી કરાઈ એવા સંજોગોમા રૂપિયા પચાસ હજાર જેવી રકમ કેવી રીતે વસુલાઈ?એવા સવાલના જવાબમા તેમણે કહ્યુ,એ મારે સિનીયર ડોકટરોને પુછવુ પડશે.પણ અમે બે દિવસમાં મહીલાના સ્વજનોને બોલાવી તેમની પાસેથી લેવામા આવેલી રકમ પરત આપી દઈશુ. એસ.વી.પી. હોસ્પિટલ શરૂ થઈ તે સમયથી અનેક વિવાદોમા આવી છે.છતમાંથી પાણી ટપકવા જેવા બનાવોથી લઈને અનેક બનાવો બન્યા છે.છતાં શાસકોએ એસ.વી.પી.ને મોટી બતાવવા વી.એસ.હોસ્પિટલની સેવાઓનુ ગળુ ઘુંટી દીધુ છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments