Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં સોસાયટીઓમાં ગણેશ સ્થાપના માટે બનાવ્યા ખાસ નિયમો

Webdunia
શુક્રવાર, 3 જુલાઈ 2020 (13:05 IST)
અમદાવાદમાં ગણેશ મહોત્સવ પહેલા એક મહિનાથી તૈયારીઓ શરૂ થઇ જાય છે. આ વર્ષે 22મી ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીનો ઉત્સવ આવશે. ત્યારે કોરોના વાયરસને લઈને આ વર્ષે અમદાવાદ શહેરમાં ગણેશના મોટા પંડાલો નહીં યોજાય. ગુજરાત સરકારની હજી જાહેરાત થઇ નથી પરંતુ અમદાવાદના સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશનના પ્રમુખ એ જાહેર કર્યું છે કે આ વર્ષે અમદાવાદ શહેરમાં પાંચ પંડાલ બંધ રાખવામાં આવશે. આ સિવાય દરેક સોસાયટીમાં ગણેશની બેસાડવા હશે તો તેની માટે પણ ખાસ નિયમો જરૂરી છે.અમદાવાદ શહેરમાં સોસાયટીમાં ગણેશ બેસાડવા હશે તો સૌથી પહેલો નિયમ એ રહેશે કે એક જ સોસાયટીમાં એક જ વ્યક્તિ ગણેશજીની આરતી કરી શકશે. ગણેશ વિસર્જન સમયે ભીડભાડ કરીને સાબરમતી નદી તરફ જવાનું ટાળવું પડશે. પીઓપીની બદલે માટીની મૂર્તિથી સોસાયટીમાં જ ગણેશનું વિસર્જન કરવાનું રહેશે. ગણેશજીના આરાધકે 2 ફૂટની માટી મૂર્તિ બેસાડે તેવી અપીલ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે શેના 90થી વધારે કારીગરો આ વર્ષે માટીની મૂર્તિ બનાવે તે માટે તેમને સૂચન કરવામાં આવ્યું છે.સોસાયટીમાં ઘરમાં અલગ-અલગ લોકો ગણેશજીની સ્થાપના કરતા હોય છે ત્યારે આ વર્ષે સોસાયટીમાં માત્ર એક જ ગણેશની સ્થાપના થાય તેવું સૂચન ગણેશ એસોસિએશનના પ્રમુખે કર્યું છે.તેમના કહેવા પ્રમાણે આ વખતે ગણેશ મહોત્સવમાં પ્રસાદનું વિતરણ નહીં થાય. ગણેશજીની આરતી વખતે માત્ર એક જ વ્યક્તિ આરતી ની થાળી લઈને આરતી ઉતારી શકશે.  એટલું જ નહિ પ્રસાદ આ વખતે લોકોને માસ્ક અને આયુર્વેદિક કાવા આપવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments