Publish Date: Wed, 27 Mar 2019 (17:45 IST)
Updated Date: Wed, 27 Mar 2019 (17:19 IST)
Hindu Dharm - ગુરૂવારનો દિવસ વાસ્તુ અને જ્યોતિષના સંદર્ભમાં ખૂબ શુભ ગણાય છે. બૃહસ્પતિવાર મૂલત: દેવી લક્ષ્મીના નાથ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ સર્વજ્ઞાત છે કે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ વગર ક્યાં પણ રોકાતી નથી. ગુરૂવાર બૃહસ્પતિ સાત્જે જોડી જોવામાં આવે તો વૃહસ્પતિ અને બૃહસ્પતિના દેવને શિવ ભક્તના રૂપમાં પણ ગણાય છે. વાસ્તુ દૃષ્ટિકોણથી બૃહસ્પતિ દેવની દિશા ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણો છે. ઈશાન ખૂણાને ઈશ્વર અને કુબેરની દિશા ગણાય છે. વાસ્તુના દ્રષ્ટિકોણથી બૃહસ્પતિ દેવની દિશા ઉત્તર પૂર્વ એટલે ઈશાન ખૂણો છે. ઈશાન ખૂણાને ઈશ્વર અને કુબેરની દિશા ગણાય છે.
આવા જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો Webdunia gujarati
ગુરૂવારના દિવસે બનાવવામાં આવેલ આ પોટલી તમારા ધન અને સોનાનો ખજાનો ભરી શકે છે. પોટલીમાં મુકવામાં આવેલ આ વસ્તુઓ ઘરમાં જ મળી જાય છે.
આ પોટલી બનાવવા માટે ગુરૂવાર પ્રદોષકાળમાં શ્રેષ્ઠ ગણાય છે. ઘરના પૂજા ઘરમાં પીળું કપડુ પાથરી લો. ઈચ્છામુજબ એમા આ વસ્તુઓ ભરી લો
આ પીળા કપડામાં ચણાની દાળ, હળદરની ગાંઠ, એક આખુ લાલ મરચું અને સોનાનો એક ટુકડો મુકો. આની પોટલી બનાવી પૂજા ઘરમાં વિધિવત પૂજન કરી અને દેવો પર અર્પિત કરી લાલ દોરીથી બાંધી લો. એ પછી સૂર્યાસ્ત પહેલા આ પોટલીને ઘરની તિજોરીમાં મુકી દો.
આવનારા દિવસોમાં તમને તેની અસર જોવા મળશે.