Publish Date: Thu, 02 Jun 2022 (08:31 IST)
Updated Date: Thu, 02 Jun 2022 (08:45 IST)
Rambha Teej 2022 / Apsara Rambha Tritiya Puja Vidhi: આ વખતે રંભા તીજ આજે એટલે કે 2જી જૂને રાખવામાં આવશે. આ વ્રત ખાસ કરીને પરિણીત મહિલાઓ અને અપરિણીત છોકરીઓ માટે ફળદાયી છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે અપ્સરા રંભાના વિવિધ નામોની પૂજા કરવાથી ભક્તનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અપ્સરા રંભાએ મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે આ વ્રત કર્યું હતું. આ વ્રત કરવાથી શિવ-પાર્વતી અને દેવી લક્ષ્મી ત્રણેયની કૃપા પ્રાપ્ત થાય છે.
જેઠ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે રંભા તૃતીયા એટલે કે રંભા ત્રીજ(Rambha teej) વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે રંભા ત્રીજ 2 જૂન 2022 એ આવી રહી છે. આ દિવસે વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. ધાર્મિક દૃષ્ટિકોણથી આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિના જીવનમાં પ્રેમ, સુંદરતા અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. એવું માનવામાં આવે છે કે, આ વ્રત ખાસ કરીને પરિણીત મહિલાઓ માટે ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, અપ્સરા રંભાની ઉત્પત્તિ દેવો અને અસુરો દ્વારા થયેલા સુમદ્ર મંથન સમયે થઈ હતી.
એવું માનવામાં આવે છે કે, આ દિવસે અપ્સરા રંભાના વિવિધ નામોની પૂજા કરવાથી વ્યક્તિને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાણો અપ્સરા રંભાના કયા નામનો જાપ કરવામાં આવે છે.
આ રીતે કરો રંભા પૂજન :
રંભા ત્રીજના દિવસે સવારે સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસો અને સૂર્યદેવ તરફ દીવો પ્રગટાવો. આ દિવસે વિવાહિત મહિલાઓ વિધિ-વિધાન સાથે દેવી લક્ષ્મી અને માતા સતીની પૂજા કરે છે. આ દિવસે સૌભાગ્ય અને સૌંદર્યનું પ્રતિક અપ્સરા રંભાની પૂજા કરવામાં આવે છે. તેથી જ ઘણી જગ્યાએ રંભાના પ્રતીક તરીકે બંગડીઓની જોડીને પૂજવામાં આવે છે.