Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mangalwar Upay: મંગળવારે કરો આ ઉપાયો, બજરંગબલી દરેક સમસ્યામાંથી અપાવશે મુક્તિ

Webdunia
મંગળવાર, 15 નવેમ્બર 2022 (07:39 IST)
Tuesday Hanuman Ji Worship Day: અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ ભગવાનને સમર્પિત હોય છે. એ જ રીતે મંગળવાર અને શનિવાર હનુમાનજીની પૂજા માટે વિશેષ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ બંને દિવસે બજરંગબલીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. એટલું જ નહીં પવનપુત્ર ભક્તોની દરેક મનોકામના પણ પૂર્ણ કરે છે. બીજી તરફ મંગળવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી પણ ઘણી સમસ્યાઓથી છુટકારો મળે છે. આ ઉપરાંત મંગળ ગ્રહ પણ બળવાન છે.
 
કુંડળીમાં રહેલી દોષ દૂર કરવા માટે  
દર મંગળવારે ચમેલીના તેલમાં સિંદૂર નાખીને બજરંગબલીને ચઢાવો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિ અને મંગળ જેવા દોષોના પ્રભાવથી મુક્તિ મળે છે.
 
દરેક ઇચ્છા પૂરી કરવા
તુલસીના પાન પર 108 વાર ભગવાન રામનું નામ લખીને માળા બનાવીને મંગળવારે હનુમાનજીને ચઢાવો. તેનાથી અંજનીનો પુત્ર ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
 
ધનની ક્યારેય નહી રહે કમી
મંગળવારે પીપળના 11 પાન લો, તેને ચોખ્ખા પાણીથી ધોઈ લો, પછી પાંદડા પર ચંદનથી શ્રી રામ લખો. ત્યારબાદ આ પાંદડા હનુમાનજીના મંદિરમાં અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે.
 
બજરંગબલી આશીર્વાદ વરસાવશે
મંગળવારે સવારે અને સાંજે હનુમાનજીની સામે દીવો પ્રગટાવો. બસ એ વાતનું ધ્યાન રાખો કે લેમ્પમાં રાખેલી વાટ લાલ રંગની હોવી જોઈએ. જો આ શક્ય ન હોય તો ઘીમાં સિંદૂર મિક્સ કરો. તેનાથી બજરંબલીના આશીર્વાદ મળશે.
 
બજરંગબલીની પૂજા કરતી વખતે આ મંત્રોનો જાપ કરો
 
હનુમાન સ્તુતિ મંત્ર
 
अतुलितबलधामं हेमशैलाभदेहं। 
 
दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम्।। 
सकलगुणनिधानं वानराणामधीशं। 
रघुपतिप्रियभक्तं वातजातं नमामि।।
 
હનુમાન સ્તોત્ર
 
अतुलितबलधामं हेमशैलाभदेहं।
दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम्।।
सकलगुणनिधानं वानराणामधीशं।
रघुपतिप्रियभक्तं वातात्मजं नमामि।।
यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकांजलिम।
वाष्पवारिपरिपूर्णालोचनं मारुतिं नमत राक्षसान्तकम्।।

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments