Publish Date: Tue, 21 Jul 2026 (14:25 IST)
Updated Date: Tue, 21 Jul 2026 (14:32 IST)
ગૌરી વ્રત (જે સામાન્ય રીતે અષાઢ સુદ અગિયારસથી પાંચ દિવસ સુધી ચાલે છે) દરમિયાન બાળાઓએ દરરોજ સવારે સ્નાન કરી માતા પાર્વતીની પૂજા કરવી પડે છે. આ પાંચ દિવસ સુધી 'અલૂણા' (મીઠા વગરના) વ્રતનું પાલન કરવાનું હોય છે. જેમાં ફળ, દૂધ, અને મીઠા વગરની વાનગીઓ ખાઈ શકાય છે. અંતિમ દિવસે ઉપવાસ રાખી રાત્રે જાગરણ કરાય છે
વ્રત દરમિયાન કરવાના મુખ્ય કાર્યો:
પૂજા વિધિ: સવારે શિવ-પાર્વતીની પૂજા કરો અને જ્વારા (ઘઉંના જવારા)ની સ્થાપના કરી તેને નિયમિત પાણી પીવડાવો.
અલૂણા વ્રત: પાંચ દિવસ સુધી ભોજનમાં મીઠા(મીઠું)નો ઉપયોગ ટાળવો. દૂધ, ફળો, અને મોળી વાનગીઓનો આહાર લેવો.જાગરણ અને ગરબા: વ્રતના અંતિમ દિવસે (પાંચમા કે છઠ્ઠા દિવસે) ઉપવાસ કરી રાત્રે માતાજીના ગરબા ગાઓ અને જાગરણ કરો.