Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજથી દિવાળી સુધી 11 વિશેષ યોગ, 21 અને 22 તારીખે પુષ્ય નક્ષત્ર

Webdunia
સોમવાર, 14 ઑક્ટોબર 2019 (13:40 IST)
ધનની દેવી લક્ષ્મી-ગણેશજીનુ પૂજન આ વખતે દિવાળીમાં 27 ઓક્ટોબરના રોજ રાજયોગ વચ્ચે કરવામાં આવશે.  આ પહેલા દિવાળીની ખરીદી અને લક્ષ્મી પૂજનની સામાગ્રી લાવવા માટે સતત બે દિવસ પુષ્ય નક્ષત્ર આવી રહ્યુ છે. દિવાળીની ખરીદી માટે આ બંને દિવસ ખૂબ  શુભકારી રહેશે. ઠીક છ દિવસ પહેલા 21 ઓક્ટોબરના રોજ સોમ પુષ્ય નક્ષત્ર અને 22 ઓક્ટોબરના રોજ ભોમ મંગળ પુષ્ય નક્ષત્ર આવશે. 
 
બંને દિવસ અન્ય શુભ યોગના સંયોગ પણ રહેશે. પંચાગ મુજબ આ બંને જ દિવસ વેપાર, ખરીદી કરવા ધનતેરસ જેટલુ જ શુભકારી રહેશે. દિવાળી પહેલા આવનારા પુષ્ય નક્ષત્રમાં તહેવારની ખરીદી શુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે લોકો પુષ્ય નક્ષત્રની રાહ જુએ છે. ખાસ કરીને મોંઘી ખરીદી આ નક્ષત્રમાં કરવી જોઈએ. આ નક્ષત્રમાં ગાડી, મકાન, દુકાન, કપડા, સોનુ, વાસણ, જમીન, મકાન વગેરેની ખરીદી કરી શકો છો. પુષ્ય નક્ષત્રમાં સોનુ ખરીદવાનુ વિશેષ મહત્વ છે. પુષ્ય નક્ષત્ર 21 ઓક્ટોબરના રોજ સાંજે 5.33 વાગ્યે શરૂ થઈને 22 ઓક્ટોબર મંગળવારે સાંજે 4.40 વાગ્યા સુધી છે.  આ દરમિયાન કરવામાં આવેલ ખરીદી અક્ષય રહેશે. જેનો ક્યારેય ક્ષય થતો નથી. 

જ્યોતિષ મુજબ 21 ઓક્ટોબરના રોજ સોમ પુષ્ય છે તેથી આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ છે. સોમ પુષ્ય પર સોના ચાંદી જેવી કિમતી ધાતુ અને વસ્તુઓ ખરીદવી જોઈએ.  
 
- 22 ઓક્ટોબરના રોજ ભોમ્પુષ્ય છે. આ દિવસે સવારે સાધ્ય અને ત્યારબાદ શુભ યોગ છે.  આ નક્ષત્ર અને યોગમાં ખરીદી ઉપરાંત બધા પ્રકારના વેપારની શરૂઆત કરવી પણ અત્યંત ફળદાયી રહેશે. 
 
- આ છે ખરીદીના શુભ મુહુર્ત 
 
જ્યોતિષ મુજબ 14ઓક્ટોબર સવારે 10.20 વાગ્યાથી 15 ઓક્ટોબરના રોજ સવારે 4.21 વાગ્યા સુધી કુમાર યોગ છે. આ દિવસે ગૃહ પ્રવેશ, જમીન અને વાહન ખરીદવા શુભ છે. 
 
- 15 ઓક્ટોબરના રોજ સવારે 4.21 વાગ્યા સુધી કુમાર યોગ છે. આ દિવસે ગૃહ પ્રવેશ, જમીન અને વાહન ખરીદવા શુભ છે. 
 
- 16 ઓક્ટોબરના રોજ સવારે 6.30 વાગ્યાથી બપોરે 2.31 વાગ્યા સુધી રાજયોગ છે. આ દિવસે બપોરે 2.21 વાગ્યાથી બીજા દિવસે સવારે 6.30 વાગ્યા સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ છે. વાહન, જમીન, એગ્રીમેંટ અને રજિસ્ટ્રી કરાવવી શુભ છે. 
 
- 19 ઓક્ટોબરના રોજ સાંજે 5.40 થી સંપૂર્ણ રાત્રિ રવિ યોગ છે. આ દિવસે વહીખાતા ખરીદવા અને ભૂમિ સંબંધિત એગ્રીમેંટ કરવા શુભ છે.  
 
- 20 ઓક્ટોબરના રોજ સવારે 6.32થી સાંજે 5.52 વાગ્યા સુધી રવિ યોગ અને સાંજે 5.52 થી આગામી દિવસે સવારે 6.33 સુધી ત્રિપુષકર યોગ છે.
 
- 23 ઓક્ટોબરના રોજ બપોરે 3.13થી આગામી દિવસ સવારે 6.34 સુધી કુમાર યોગ છે. 
 
- 25 ઓક્ટોબરના રોજ ધનતેરસના રોજ સવારે 6.35થી 11 વાગ્યા સુધી રાજયોગ હોવાને કારણે વાસણ, વાહન, ચાંદી અને સોનુ ખરીદવુ શુભ રહેશે. 
 
આજથી દિવાળી સુધી 11 વિશેષ  યોગ 
 
- 14 ઓક્ટોબર-કુમાર યોગ, 15 ઓક્ટોબર સર્વાર્થ સિદ્ધિ યોગ, 
- 16 ઓક્ટોબર-રાજ યોગ, 
- 18 ઓક્ટોબર-કુમાર યોગ, 
- 19 ઓક્ટોબર-રવિ યોગ, 
- 20 ઓક્ટોબર-ત્રિપુષ્કર યોગ,
- 21 ઓક્ટોબર-સર્વાર્થસિદ્ધિ યોગ,
- 22 ઓક્ટોબર-સર્વાર્થસિદ્ધિ યોગ,
- 23 ઓક્ટોબર-કુમાર યોગ, 
- 25 ઓક્ટોબર સર્વાર્થ  સિદ્ધિ અને રાજ યોગ, 
- 27 ઓક્ટોબર-રાજ યોગ 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments