Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chanakya Niti: લગ્ન પછી પણ પુરૂષોનું મન આ 3 વસ્તુઓથી ભરાતુ નથી, હંમેશા મેળવવા માંગે છે

chankya
Chanakya Niti: ચાણક્ય કહે છે કે જો કોઈ પુરુષ સુંદર અને ચારિત્ર્યવાન સ્ત્રી સાથે લગ્ન કરે તો તેનું જીવન સારું ચાલે  છે. પરંતુ આમ છતા પણ પુરુષોનું મન સંતુષ્ટ નથી થતું અને તેઓ આ ત્રણ વસ્તુઓ વિના અશાંત રહે છે. આવો જાણીએ કઈ ત્રણ વસ્તુઓ વગર પુરુષો લગ્ન પછી પણ સંતુષ્ટ નથી થતા.
 
1. ભોજન - ચાણક્ય કહે છે કે દરેક મનુષ્યને સારું ભોજન જોઈએ છે. જ્યાં સુધી પુરુષ બેચલર રહે છે, ત્યાં સુધી તે વિચારે છે કે લગ્ન પછી તેની પત્ની તેની વિવિધ વાનગીઓની ઈચ્છાઓ પૂરી કરશે, પરંતુ આવું થતું નથી. લગ્ન પછી જો તેની પત્ની તેના માટે સ્વાદિષ્ટ ભોજન બનાવે તો પણ તે હંમેશા તેનાથી પણ વધુ સ્વાદિષ્ટ  ભોજનની શોધમાં રહે છે. કેટલીકવાર પતિ-પત્ની વચ્ચે ભોજનને કારણે મતભેદ પણ થાય છે.
 
2. પૈસા - દરેક વ્યક્તિ વધુ ને વધુ પૈસા કમાવા માંગે છે. પરંતુ લગ્ન પછી પૈસા કમાવવાની ઈચ્છા વધુ વધી જાય છે. ચાણક્ય કહે છે કે લગ્ન પછી માણસ હંમેશા વધુ ને વધુ પૈસા કમાવવાનું વિચારે છે. પૈસા કમાવવાની ઇચ્છામાં, તે ઘણીવાર ખોટા રસ્તાઓ અપનાવે છે, જેના પછી તે બધું ગુમાવે છે.
 
 
3. વય  - ચાણક્યના મતે માણસ બને ત્યાં સુધી જીવવા માંગે છે.  લગ્ન પછી પુરુષોની આ ઈચ્છા વધી જાય છે. લગ્ન પછી, પુરુષ હંમેશા યુવાન રહેવા માંગે છે અને શક્ય તેટલો તેની પત્નીને પ્રેમ કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Akshaya Tritiya Wishes 2025 : અક્ષય તૃતીયા પર આ સુંદર સંદેશની સાથે આપો તમારા સ્નેહીજનોને હેપી અક્ષય તૃતીયાની શુભેચ્છા, માતા લક્ષ્મી આપશે આશીર્વાદ