આ વ્રત કોઈપણ મંગળવારથી કરી શકાય છે.
વ્રતના દિવસે સવારે વહેલા ઊઠી, નાહી-ધોઈ બાજોઠ કે પાટલા ઉપર આશાપુરા માની છબી મૂકી ઘીનો દીવો કરવો.
પછી અગરબત્તી પ્રગટાવી પાણીનો લોટો ભરી પાસે મૂકવો.
પછી માતાજીની સામે તેમનું ધ્યાન ધરવું.
આ દિવસે સાત્ત્વિક ફળાહાર લેવો. નવ મંગળવાર સુધી આ વ્રત કરવામાં આવે છે.
આ વ્રતથી સંતાનપ્રાપ્તિ, રોગમુક્તિ, આપત્તિ નિવારણ, મનપસંદ પાત્ર સાથે લગ્ન, નોકરી મળવી, ધંધાની મંદી દૂર થવી વગેરે ઘણાં શુભ ફળ મળે છે.
નવમા મંગળવારનું ઉદ્યાપન:
નવમા મંગળવારે વ્રતનું ઉદ્યાપન કરો. આમાં 9 પરિણીત મહિલાઓને માતાજીને ભોજન કરાવો અને તેમને સુહાગ વસ્તુઓનું દાન કરો.