સોમાલિયાની એક હોટલમાં આત્મઘાતી હુમલામાં 26 લોકોનાં મૃત્યુ
Publish Date: Sun, 14 Jul 2019 (20:05 IST)
Updated Date: Mon, 15 Jul 2019 (00:07 IST)
દક્ષિણ સોમાલિયાની એક હોટલમાં શનિવારે થયેલા આત્મઘાતી હુમલામાં 26 લોકોનાં મૃત્યુ થયાં છે.
રિપોર્ટ પ્રમાણે મૃતકોમાં એક પત્રકાર અને ઘણા વિદેશી નાગરિકો સામેલ છે. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન અલ-શબાબે લીધી છે.
અધિકારીઓએ જણાવ્યું કે હુમલામાં એક સ્થાનિક નેતા સિવાય કીનિયા અને તંઝાનિયાના ત્રણ-ત્રણ, અમેરિકાના બે અને એક બ્રિટિશ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે એક આત્મઘાતી હુમલાખોર વિસ્ફોટકોથી ભરેલી ગાડી લઈને કિસમાયો શહેરની હોટલમાં ઘૂસી ગયો હતો અને પછી હુમલા કર્યા.
જ્યારે હુમલો થયો એ જ વખતે આ હોટલમાં સ્થાનિક નેતા ચૂંટણી સંદર્ભે ચર્ચા કરવા આવ્યા હતા.
જાણવા મળે છે કે આ હુમલામાં પત્રકાર હોડેન નાલિયાહ અને તેમના પતિનું મૃત્યુ થયું છે.
આગળનો લેખ