મોદીને લઈને દિગ્વિજયનુ જુઠ્ઠાણુ પકડાયુ, બુરખા નથી ખરીદાયા
ઈન્દોર , मंगलवार, 24 सितम्बर 2013 (18:40 IST)
દિગ્વિજય સિંહે પોતાની તમામ પ્રેસ કોંફ્રેંસમાં આ પ્રચાર કરતા ફરી રહ્યા છે કે નરેન્દ્ર મોદીએ પોતાની ભોપાલ રેલી માટે 10 હજાર બુરખા બનાવડાવ્યા છે અને આ બુરખા ઈન્દોરના એક વેપારી પાસેથી ખરીદ્યા છે. તેમણે પુરાવાના રૂપમાં આ ઓર્ડર બીલ પણ બતાવ્યુ. દિગ્વિજયનુ કહેવુ હતુ કે મોદી આ બુરખા પોતાના કાર્યકર્તાઓને પહેરાવીને મુસલમાનના રૂપમાં પોતાની સભામાં જોવા માંગતા હતા. પરંતુ જ્યારે અમારા સંવાદદાતા મામલાની તપાસ કરવા એ દુકાન પર પહોંચ્યા તો તેમની સામે ચકિત કરનારુ તથ્ય સામે આવ્યુ.