Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક સાહિત્યકાર તરીકે નરસિંહ મહેતા

Webdunia
નરસિંહ મહેતા (સંભવત : 1414-1480)

નરસિંહ મહેતા સમય દ્રષ્ટિએ નહિ, પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ આદિ ભક્તકવિ છે. આ વડનગરા નાગરનો જન્મ તળાજામાં થયેલો. ત્રણ વર્ષની ઉંમરે પિતા ગુમાવતા જૂનાગઢમાં ભાઈને ત્યાં રહેતા હતા અને સાધુ સંતોમાં વખત ફુજારતા. નરસિંહ મહેતાએ ભાભીના મહેણાંથી ઘર છોડી દીધુ અને નિર્જન વનમાં મહાદેવની આરાધના કરવા લાગ્યા. તેમને આરાધનાથી પ્રસન્ન થયેલા આશુતોષ તેમને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવે છે. રાસલીલાંનુ અને કૃષ્ણનું સંકીર્તન જ જેનો વ્યવસાય બની ગયો હતો. એવા ગૃહસ્થ નરસિંહનું યોગક્ષેમ કૃષ્ણ જ સાચવે છે. પુત્ર શામળદાસનું લગ્ન પુત્રી કુંવરબાઈનું મોસાળુ, પિતાનું શ્રાધ્ધ અને શામળિયા પર લખેલી હુંડી તેમજ રાજા રા"માં ડાલિકની ઈચ્છા મુજબ મૂર્તિ પરનો હાર પહેરાવવાનું કામ એ બધા કાર્યો કરીને ભક્ત વત્સલ કૃષ્ણ ભક્તની અને એ રીતે પોતની લાજ રાખે છે. હરિજનવાસમાં ભજન કીર્તન કરનાર નરસિંહને નગરજનો અને નાગરોએ પણ અપમાનિત કર્યા હતા. લોકોના હૃદયમાં તો એ ઘટનાઓ દ્વારા તેમની કૃષ્ણભક્તિનો પ્રભાવ પડેલો હતો. તેમનું જીવન જ પછીના અનેક સાહિત્યકારો માટે આખ્યાનનો વિષય બન્યું હતુ.

નરસિંહને પદ્ય રચનાનો ફાવતો પ્રકાર પદ છે. તેમાં નવી દેશીઓનો ઉપયોગ કરી સાધેલું વૈવિધ્ય અને ઝૂલણાં-બંધનો ઉપયોગ નોંધપાત્ર છે. ગરબીઓ તરીકે ઉપયોગમાં લઈ શકાય એવા સુંદર ઊર્મિગીતો રૂપ પદો ગુજરાતી સાહિત્યને મળ્યાં છે. છૂટક પદોમાં લખાયેલું 'સુદામાચરિત્ર' આખ્યાનકારની બીજભૂત શક્તિ દર્શાવે છે. તેમના આત્મચરિત્રાત્મક કાવ્યોમાં શામળદાસનો વિવાહ 'હાર' સમેના પદૌ ઉપરાંત હુંડી, મામેરુ અને શ્રાધ્ધના પ્રસંગોને લગતા પદો છે. ગોપોઓની વિરહવ્યાકુળતા અને તેમના ઉત્કટ કૃષ્ણાનુરાગનું ચિત્રાત્મક વર્ણન ખાસ નોંધપાત્ર છે.

' શૃંગારમાળા' ના પદોમાં કૃષ્ણ અએ ગોપીઓની કેલિના વર્ણનમાં માઝા મૂકતો શ્રૃંગાર છે. તેમને હાથે ભક્તિ-શૃગાર સ્થૂળ અને ઉત્કટ આલેખાયો છે. 'બારમાસ' ના પદોમાં ઋતુવર્ણન છે. 'બાળલીલા'માં વાત્સલ્યરસનું સુંદર નુરૂપણ છે. તેમાં આકશના ચંદ્ર માટેની બાલકૃષ્ણની રઢના પદ આકર્ષક છે.

નરસિંહ મહેતાના પ્રભાતિયા એટલે ભક્તિબોધ અને જ્ઞાનના પદો, તે સંખ્યાએ અલ્પ, પરંતુ લોકપ્રિયતા પામી લોકકંથમાં સ્થાન પામ્યા હતા. દેહની નશ્વરતા, મનુષ્ય અવતારની દુર્લભતા અને સંસારી સુખનું મિથ્યાત્વ દર્શાવતા અનેક પદો સંસારીઓ માટે પ્રેરણારૂપ બન્યાં છે. 'વૈષ્ણવજન તો તેને રે કહીએ' માં સંતના લક્ષણો અને 'સુખદુ:ખ મનમાં ન આણીએ' તથા 'જે ગમે જગતગુરૂ દેવ જગદીશને' વગેરેમાં બોધવાણી છે.

નરસિંહ મહેતાના પદો કાવ્ય અને વક્તવ્યની દ્રષ્ટિએ સમૃધ્ધ છે. પૂર્વાવસ્થામાં 'ભાગવત' અને 'ગીતગોવિંદ'ની અસર અને ઉત્તરાવસ્થામાં ઉપનિષદો, સાધુસંતોનો સંપર્ક અને ભાગવતના વેદાંતની સંયુક્ત અસર નરસિંહના સર્જનમાં જોવા મળે છે.
सभी देखें

जरुर पढ़ें

इस Festive Season, इन DIY Ubtans के साथ घर पर आसानी से बनाएं अपनी स्किन को खूबसूरत

दिवाली पर कम मेहनत में चमकाएं काले पड़ चुके तांबे के बर्तन, आजमाएं ये 5 आसान ट्रिक्स

दिवाली पर खिड़की-दरवाजों को चमकाकर नए जैसा बना देंगे ये जबरदस्त Cleaning Hacks

जानिए सोने में निवेश के क्या हैं फायदे, दिवाली पर अच्छे इन्वेस्टमेंट के साथ और भी हैं कारण

दीपावली की तैयारियों के साथ घर और ऑफिस भी होगा आसानी से मैनेज, अपनाएं ये हेक्स

सभी देखें

नवीनतम

Diwali Skincare : त्योहार के दौरान कैसे रखें अपनी त्वचा का ख्याल

Diwali 2024 : कम समय में खूबसूरत और क्रिएटिव रंगोली बनाने के लिए फॉलो करें ये शानदार हैक्स

धनतेरस पर कैसे पाएं ट्रेडिशनल और स्टाइलिश लुक? जानें महिलाओं के लिए खास फैशन टिप्स

पपीते का ये हिस्सा जिसे बेकार समझकर फेंक देते हैं, फायदे जानकर आज से ही करने लगेंगे स्टोर

संत गोस्वामी तुलसीदास जी कौन थे, जानें उनका जीवन और 10 अमूल्य कथन

Show comments