ઢાકા (વાર્તા) બાંગ્લાદેશની મેઘના નદીમાં સોમવારે એક નૌકા પલટી જતા ઓછામાં ઓછા 33 લોકોનાં ડૂબી જવાથી મૃત્ય થવાની શંકા છે.
પોલીસનાં જણાવ્યા અનુસાર નરસિંગદી જીલ્લાનાં રાયપુરા વિસ્તારમાં એન્જીનથી ચાલતી એક નૌકા તોફાનની લપેટમાં આવી જતા પલટી હતી. નૌકામાં 50 યાત્રીઓ સવાર હતા.
આ દુર્ઘટના બાદ લગભગ 33 લોકો ગુમ છે. કલાકો વિત્યા છતાં તેમની કશી ભાળ મળી નથી અને માનવામાં આવે છે કે તેઓનાં ડૂબી જવાથી મૃત્યું થયા છે. અત્યાર સુધી ફક્ત બે મૃતદેહ કબ્જે કરવામાં આવ્યા છે.