Webdunia - Bharat's app for daily news and videos

Install App

અરવિંદ કેજરીવાલ પર સ્યાહી ફેંકનાર યુવકને હું નથી જાણતો - અન્ના હજારે

Webdunia
मंगलवार, 19 नवंबर 2013 (11:16 IST)
P.R


આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલ પર સ્યાહી ફેંકનારા વ્યક્તિ તરફથી સમાજસેવી અન્ના હજારેએ કિનારો કરી લીધો છે. અન્ના હજારે તરફથી કહેવાયુ છે કે અમાજસેવી આ વ્યક્તિને જાણતા નથી. આ દરમિયાન બીજેપી નેતા સુષમા સ્વરાજે 'આપ' પર નિશાન તાકતા કહ્યુ કે કેજરીવાલે પોતાની પાર્ટીનુ નામ બદલીને 'અમીર આદમી પાર્ટી' નામ રાખી લેવુ જોઈએ.

અન્ના હજારે અરવિંદ કેજરીવાલથી નારાજ લાગી રહ્યા છે. તેમણે કહ્યુ કે પૈસાનો કોઈ મુદ્દો જ નથી. પણ તેમને બે વાતો પર વાંધો છે. અન્નાએ કહ્યુ કે સિમ કાર્ડથી તેમને કોઈ લેવાદેવા નથી, છતા પણ તેમને આરોપી બનાવાયા છે. બીજી વાત અરવિંદ 29 ડિસેમ્બરના રોજ અન્નાનુ લોકપાલ લાવવાની વાત કરી રહ્યા છે જેને લઈને અન્નાને વાંધો છે. અન્નાનું કહેવુ છે કે અરવિંદ લોકપાલને દિલ્હીમાં કેવી રીતે લાગૂ કરી શકે છે.

મંગળવારે પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં પત્રકારો સાથે વાત કરતા અન્નાએ કહ્યુ, 'મને શંકા છે કે મારા નામનો દુરુપયોગ થઈ રહ્યો છે. મારા નામનો ઉપયોગ કરવો યોગ્ય નથી.

હજારે એ કહ્યુ કે મેં અરવિંદ પર વિશ્વાસ કર્યો. અરવિંદે પોતાની ઓફિસ ચલાવવા માટે 20 લોકોને મુક્યા હતા. તેમણે 30-35 હજર રૂપિયા મહિને આપવામાં આવતા હતા. આ લોકોના પૈસાનો દુરુપયોગ છે. જો કે મેં આ વિશ કંઈ કહ્યુ નથી. પણ લોકોના વધુ પૈસા ખર્ચ કરવા યોગ્ય નથી.

એક પ્રશ્નના જવાબમાં અન્નાએ કહ્યુ, 'અરવિંદ જો મારી સાથે વાત કરવા માંગે છે તો હુ તૈયાર છુ. અરવિંદ સાથે મારી કોઈ દુશ્મની નથી. મને અરવિંદના ચરિત્ર પર કોઈ શંકા નથી.

આ દરમિયાન કેજરીવાલે કહ્યુ અન્નાના નિકટના લોકો તેમને નથી મળવા દેતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સોમવારે કેજરીવાલની પ્રેસ કોંફરેંસમાં એક યુવકે ખૂબ હંગામો કર્યો. પહેલા તો તેણે પ્રેસ સાથે વાતચીત કરી પ્રશાંત ભૂષણ, અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર કાળી શાહી ફેંકી. પછી 'અન્ના હજારે જિંદાબાદ'નો નારો લગાવતા નેતાઓ પર અન્નાને દગો કરવાનો આરોપ લગાવ્યો. પછી પોલીસે તેની ધરપકડ કરી લીધી. તેની સાથેની વાતચીતમાં તેણે પોતાનુ નમ નચિકેતા વાલ્હેકર બતાવ્યુ. તે મહારાષ્ટ્રના અહમદનગરનો રહેવાસી છે. તે ખુદને ભાજપનો કાર્યકર્તા બતાવે છે. તે ભાજપા તરફથી જિલા પરિષદની ચૂંટણી પણ લડી ચુક્યો છે.

जरूर पढ़ें

Bomb threat : 50 उड़ानों में बम की धमकी मिली, 9 दिन में कंपनियों को 600 करोड़ का नुकसान

महाराष्ट्र में महाविकास अघाड़ी के बीच सीटों का फॉर्मूला तय

गुरमीत राम रहीम पर चलेगा मुकदमा, सीएम मान ने दी अभियोजन को मंजूरी

Gold Silver Price Today : चांदी 1 लाख रुपए के पार, सोना 81000 के नए रिकॉर्ड स्तर पर

दो स्‍टेट और 2 मुख्‍यमंत्री, क्‍यों कह रहे हैं बच्‍चे पैदा करो, क्‍या ये सामाजिक मुद्दा है या कोई पॉलिटिकल गेम?

सभी देखें

नवीनतम

Phulpur Assembly By election: सपा उम्मीदवार मुज्तबा सिद्दीकी ने नामांकन पत्र किया दाखिल

चक्रवात दाना का बाहरी बैंड पूर्वी तट से टकराया, ओडिशा में तेज बारिश

चक्रवात दाना के मद्देनजर ओडिशा में 288 बचाव दल तैनात, प्रशासन हाई अलर्ट पर

चक्रवाती तूफान दाना से ताजा हुईं चक्रवात फैलिन की खौफनाक यादें, कैसा था तबाही का मंजर?

नकली जज, नकली फैसले, 5 साल चली फर्जी कोर्ट, हड़पी 100 एकड़ जमीन, हे प्रभु, हे जगन्‍नाथ ये क्‍या हुआ?

Show comments