Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી અને આરએસએસ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનુ કામ કરી રહ્યા છે - ગિલાની

Webdunia
मंगलवार, 19 अगस्त 2014 (12:13 IST)
પોતાના ઘરમાં નજરબંધ તહરીક એ હુર્રિયતના ચેરમેન સૈયદ અલી શાહ ગિલાનીએ અંગ્રેજી વેબસાઈટૅને આપેલ ઈંટરવ્યુમાં આરએસએસ અને નરેન્દ્ર મોદીને નિશાને લેતા કહ્યુ કે આ બંને મળીને દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. 
 
ગિલાનીએ વધુમાં કહ્યુ કે તેમની પાર્ટી જમ્મુ કાશ્મીરમાં થનારી વિધાનસભા ચૂંટણીઓનો બહિષ્કાર કરશે. નોંધનીય છે કે ગિલાની શ્રીનગરના રાવલપુરા સ્થિત પોતાના ઘરમાં નજરબંધ છે. 
 
તેમનુ કહેવુ છે કે સાડા સાત લાખ સેના જવાનોની હાજરીમાં મતદારો ક્યારેય પોતાને આઝાદ અનુભવી ન શકે. વેબસાઈટે તેમને પુછ્યુ કે તેઓ આગામી મુખ્યમંત્રી કોને જોવા માંગે છે ત્યારે તેમણે કહ્યુ કે મુખ્યમંત્રી કોઈપણ હોય પણ રાજ્ય પર રાજ ગૃહ મંત્રાલય કરે છે. અન્ય તો માત્ર પુતળાની જેમ કામ કરે છે. કેન્દ્ર સરકાર માત્ર જમ્મુ કાશ્મીરને પ્રતાડિત કરવા માટે ચૂંટણી કરાવે છે. 
 
ગિલાનીને પુછવામાં આવ્યુ કે કાશ્મીરના યુવાનો પર હુર્રિયતની પકડ નબળી પડી છે. ત્યારે તેમણે કહ્યુ કે આ અફવા ભારતીય ઈંટેલિજંસ ફેલાવી રહ્યા છે. કાશ્મીરના યુવાનો આજે પણ હુર્રિયત સાથે આત્માની જેમ જોડાયેલા છે. કોઈપણ જુઠો પ્રચાર અમને અલગ નહી કરી શકે. 
 
ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવી રહ્યા છે મોદી 
 
નરેન્દ્ર મોદીના કામકાજ પર ગિલાનીએ કહ્યુ કે સરકાર કોઈપણ પાર્ટીની હોય પણ કેન્દ્ર સરકારની પોલીસી સરખી રહેતી હોય છે. આથી ઉપર નરેન્દ્ર મોદી એક હિન્દુ નેતા છે. જેમના પર આરએસએસની વિચારધારા હાવી છે અને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવાનું તેમનો એકમાત્ર એજંડો છે. 
 
ભારત પાક સંબંધ પર મોદીની પહેલ પર જ્યારે ગિલાનીને પુછવામાં આવ્યુ ત્યારે તેમનુ કહેવુ હતુ કે આ મુદ્દે કઈ પણ કહેવુ તે ઉતાવળ કહેવાશે.  આ મુદ્દે સમય આપવો જ યોગ્ય છે. ગત 30-40 વર્ષથી જેટલા વડાપ્રધાન પદે આવ્યા તેમાંથી કોઈમાં પ્ણ કાશ્મીર મુદ્દે વાત કરવાની હિમંત ન આવી. તેમને પુછવામાં આવ્યુ કે આવનારા 10 વર્ષમાં કાશ્મીરને કેવુ જોવા ઈચ્છો છો ત્યારે તેમનો જવાબ હતો કે કાશ્મીરમાં યુવાનો આઝાદી ઈચ્છી રહ્યા છે અને આવનારો સમય તેમનો જ હશે.  

जरूर पढ़ें

Modi-Jinping Meeting : 5 साल बाद PM Modi-जिनपिंग मुलाकात, क्या LAC पर बन गई बात

जज साहब! पत्नी अश्लील वीडियो देखती है, मुझे हिजड़ा कहती है, फिर क्या आया कोर्ट का फैसला

कैसे देशभर में जान का दुश्मन बना Air Pollution का जहर, भारत में हर साल होती हैं इतनी मौतें!

नकली जज, नकली फैसले, 5 साल चली फर्जी कोर्ट, हड़पी 100 एकड़ जमीन, हे प्रभु, हे जगन्‍नाथ ये क्‍या हुआ?

लोगों को मिलेगी महंगाई से राहत, सरकार बेचेगी भारत ब्रांड के तहत सस्ती दाल

सभी देखें

नवीनतम

दीपोत्सव 2024 : 1100 वेदाचार्य करेंगे सरयू आरती, अंतरराष्ट्रीय कलाकारों की होगी रामलीला, बनेंगे नए रिकॉर्ड

UP की सभी 9 सीटों पर SP लड़ेगी उपचुनाव, अखिलेश यादव का ऐलान

महाराष्ट्र : MVA के दलों में 85-85 सीट पर बनी बात, पढ़िए कहां फंसा है पेंच

Meerut : एनसीआर में पेट्रोल पंपों पर मिल रहा मिलावटी तेल, पेट्रोलियम पदार्थ के काले कारोबार का भंड़ाफोड़, 6 आरोपी पुलिस हिरासत में

Wayanad Election : प्रियंका गांधी ने घोषित की संपत्ति, जानिए कितनी अमीर हैं कांग्रेस महासचिव

Show comments