Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર મુજબ આ 5 સ્થાન પર જૂતા ચપ્પલ પહેરીને ક્યારેય ન જવૂ જોઈએ

Webdunia
ગુરુવાર, 8 એપ્રિલ 2021 (11:38 IST)
જાણતા અજાણતા આપણે મોટેભાગે એવી ભૂલો કરી બેસીએ છીએ જે વાસ્તુ દોષનુ કારણ બને છે. એવુ કહેવાય છે કે ઘરમાં વાસ્તુ દોષ થતા આર્થિક તંગી, સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ સહિત પારિવારિક ક્લેશનો સામનો પણ કરવો પડે છે. અનેકવાર જાણતા-અજાણતા આપણે જૂતા ચપ્પલ એવા સ્થાન પર પણ પહેરીને ચાલ્યા જઈએ છીએ જેનાથી વાસ્તુ દોષ થાય છે. શાસ્ત્રોમાં 5 એવા સથાન વિશે બતાવ્યુ છે જ્યા જૂતા ચપ્પલ પહેરીને જવુ અશુભ હોય છે.  મોટેભાગે આ ભૂલને કારણે લોકોને મુશ્ક્લીનો સામનો કરવો પડે છે.  જાણો કયા સ્થાન પર ભૂલથી પણ જૂતા ચપ્પલ પહેરીને ન જવુ જોઈએ. 
 
1. સ્ટોર રૂમ - વાસ્તુશાસ્ત્ર મુજબ સ્ટોર રૂમમાં જૂતા ચપ્પલ પહેરીને ન જવુ જોઈએ. આ વાતનુ ધ્યાન રાખવાથી ઘરમાં ક્યારેય અન્નની કમી આવતી નથી. 
 
2. તિજોરીની પાસે - તિજોરીમાં કંઈક મુકવા જતા પહેલા જૂતા ચપ્પલ કાઢી નાખવા જોઈએ. એવુ કહેવાય છે કે તિજોરીને જૂતા ચપ્પલ પહેરીને ખોલવાથી મા લક્ષ્મી નારાજ થઈ શકે છે, જેના કારણે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. 
 
3. પવિત્ર નદી - વાસ્તુ શાસ્ત્ર મુજબ, પવિત્ર નદી પાસે જૂતા ચપ્પલ ક્યારેય પહેરીને ન જવુ જોઈએ.  નદીઓમાં સ્નાન કરતા પહેલા જૂતા-ચપ્પલ કે ચામડાથી બનેલી વસ્તુઓ કાઢી નાખવી જોઈએ.  એવુ કહેવાય છે કે આવુ કરવાથી ઘરમાં સુખ શાંતિ કાયમ રહે છે. 
 
4. રસોઈ ઘર - એવુ કહેવાય છે કે રસોઈ ઘરમાં ક્યારેય પણ જૂતા-ચપ્પલ પહેરીને ન જવુ જોઈએ. આવુ કરવાથી મા અન્નપૂર્ણા નારાજ થાય છે અને જાતકને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 
 
5. મંદિર - હિંદુ ધર્મમાં મંદિરને ભગવાનનુ ઘર માનવામાં આવે છે. આવામાં મંદિરમાં ક્યારેય પણ જૂતા ચપ્પલ પહેરીને ન જવુ જોઈએ. માન્યતા છે કે અહી જૂતા ચપ્પલ પહેરીને જવાથી દેવી-દેવતા નારાજ થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments