Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફૂટબોલ જગતમાં શોકની લહેર, ઉરુગ્વે ટીમના ફૂટબોલરનું મેદાનમાં જ હાર્ટ એટેકથી મોત

Webdunia
ગુરુવાર, 29 ઑગસ્ટ 2024 (06:47 IST)
image source twitter(X)
ફૂટબોલ જગતમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઉરુગ્વેના ફૂટબોલર જુઆન ઇઝક્વીર્ડો(Juan  zquierdo)નું 27 વર્ષની વયે અવસાન થયું છે. આ સમાચારથી ફૂટબોલ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. નેશનલ ક્લબનો ભાગ રહેલા જુઆન 5 દિવસ પહેલા એટલે કે 22 ઓગસ્ટે બ્રાઝિલમાં સાઓ પાઉલો સામેની મેચ દરમિયાન હાર્ટ એટેકને કારણે અચાનક મેદાન પર પડી ગયા હતા. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ ઘટનાના 5 દિવસ પછી જુઆન ઇક્વિઆર્ડોનું અવસાન થયું. ડોકટરોએ તેમના મૃત્યુનું કારણ એરિથમિયાને ગણાવ્યું છે જેના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. એરિથમિયા એવી સ્થિતિ છે જેમાં દિલના ધબકારા અનિયમિત થઈ જાય છે.
 
 27 વર્ષીય જુઆન ઇક્વિઆર્ડોને  ત્યારે હાર્ટ એટેક આવ્યો જ્યારે તેઓ લેટિન અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત ક્લબ ટુર્નામેન્ટ કોપા લિબર્ટાડોર્સની ક્વાર્ટર ફાઇનલ મેચમાં સાઓ પાઉલો સામે નેશનલ ક્લબ માટે રમી રહ્યા હતા.  આ મેચની 84મી મિનિટે જુઆન અચાનક મેદાન પર પડી ગયો હતો. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને વેન્ટિલેટર પર મૂકી દીધો. હોસ્પિટલમાં 5 દિવસ પસાર કર્યા પછી પણ ફૂટબોલરની તબિયતમાં કોઈ સુધારો થયો નહી અને 5 દિવસ બાદ તેમનું મોત થયુ. 

<

Con el más profundo dolor e impacto en nuestros corazones, el Club Nacional de Football comunica el fallecimiento de nuestro querido jugador Juan Izquierdo.

Expresamos nuestras más sinceras condolencias a su familia, amigos, colegas y allegados.

Todo Nacional está de luto por… pic.twitter.com/mYU28mqw6m

— Nacional (@Nacional) August 28, 2024 >
 
નેશનલ ક્લબે તેમના મૃત્યુના સમાચાર ફેંસ સાથે શેર કર્યા. ક્લબે ટ્વિટર પર એથ્લેટનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું: "આ  ખૂબ જ દુઃખની વાત  છે કે ક્લબ નેશનલ ડી ફૂટબોલ અમને જાણ કરે છે કે અમારા પ્રિય ખેલાડી જુઆન ઇક્વિઆર્ડો હવે આપણી વચ્ચે નથી." ઇક્વિઆર્ડોની પત્ની સેલેનાએ એક અઠવાડિયા પહેલા જ તેમના બીજા બાળકને જન્મ આપ્યો હતો.

 
ફિફાના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોએ પણ જુઆન ઇક્વિઆર્ડોના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે તે ઉરુગ્વેના ફૂટબોલર જુઆન ઇક્વિઆર્ડોના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખી છે. FIFA અને સમગ્ર ફૂટબોલ સમુદાય તરફથી તેઓ તેમના પરિવાર અને મિત્રો, ઉરુગ્વેયન ફૂટબોલ એસોસિએશન, ક્લબ નેસિઓનલ ડી ફૂટબોલ અને CONMEBOL પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરે છે.

<

FIFA President Gianni Infantino:

I am deeply saddened to learn of the tragic passing of Uruguayan footballer Juan Izquierdo. On behalf of FIFA and the entire footballing community, I would like to express my sincere condolences to his family and friends, to the Uruguayan… pic.twitter.com/BIiz74qcYV

— FIFA Media (@fifamedia) August 28, 2024 >

સંબંધિત સમાચાર

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments