Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાયુ વાવાઝોડાની અસર : 37 તાલુકાઓમાં અડધાથી બે ઇંચ વરસાદ

Webdunia
ગુરુવાર, 13 જૂન 2019 (12:38 IST)
રાજ્યમાં વાયુ વાવાઝોડાના પગલે ચોમાસાના પગરણ થયા છે. સવારે ૮.૦૦ વાગે પુરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ૩૭ તાલુકાઓ એવા છે કે જ્યાં ૧૨ મી.મી. એટલે કે અડધા ઇંચથી લઇને ૪૫ મી.મી. એટલે કે બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.  રાજ્યના કુલ ૧૦૮ તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદની ઝલક જોવા મળી છે. 
 
રાજયના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ આજે સવારે ૮.૦૦ વાગે પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૮ જિલ્લાઓના ૧૦૮ તાલુકામાં હળવા ઝાપટાથી લઇ બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. વરસાદની જિલ્લાવાર માહિતી જોઇએ તો પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ૪૫, સરસ્વતી તથા હારિજમાં ૧૬, પાટણમાં ૧૮, બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ૩૩, પાલનપુરમાં ૧૭, દિયોદરમાં ૧૪, દાંતા અને ડિસામાં ૧૨-૧૨, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ૪૩, હિંમતનગરમાં ૩૪, ઇડરમાં ૨૨, ખેડબ્રહ્મામાં ૨૧, તલોદમાં ૨૧, વડાલીમાં ૧૮ અને ૧૬ મી.મી., મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ૩૮, વિસનગરમાં ૩૬, વડનગરમાં ૨૧, મહેસાણામાં ૨૨ અને ઉંઝામાં ૧૧ મી.મી., અરવલ્લી જિલ્લાના બાયડમાં ૩૩ મી.મી., ગાંધીનગર જિલ્લાના માણસામાં ૩૩ અને કલોલમાં ૨૪ મી.મી. વરસાદ નોંધાયો છે. 
 
સૌરાષ્ટ્રમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેમાં કચ્છ જિલ્લાના લખપતમાં ૧૬ મી.મી., દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ૨૫ મી.મી., જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ૧૨ મી.મી., ભાવનગર જિલ્લાના જેસરમાં ૨૦ મી.મી., અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ૨૫ મી.મી., ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ૧૪ મી.મી, પોરબંદર જિલ્લાના રાણાવાવમાં ૧૨ મી.મી., રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ૧૧ મી.મી. તથા જામનગર તાલુકામાં ૨૬મી.મી. વરસાદ નોંધાયો છે. 
 
આ સાથે રાજ્યના મધ્ય તથા દક્ષિણ ગુજરાતની વરસાદની સ્થિતિ વિશે માહિતી મેળવી લઇએ. ખેડા જિલ્લાના કઠલાલમાં ૧૩ મી.મી., તાપી જિલ્લાના ઉચ્છલમાં ૨૭ મી.મી. અને સોનગઢમાં ૧૫ મી.મી., જ્યારે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ૩૮ મી.મી. વરસાદ વરસ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments