Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

28 વર્ષથી પીધી નથી ચા, રામ મંદિર બન્યા પછી લગાવશે ચાની ચૂસકી

28 વર્ષથી પીધી નથી ચા, રામ મંદિર બન્યા પછી લગાવશે ચાની ચૂસકી
, ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (12:03 IST)
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનને લઇને ગુજરાત સહિત દેશભરમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. જેના માટે ખાસકરીને 1992ના કાર સેવામાં ભાગ લેનાર કાર સેવકો માટે 5 ઓગસ્ટનો દિવસ ઐતિહાસિક દિવસ બની ગયો છે. 
 
સુરતના ભરતભાઇ નામના વ્યક્તિ 1992ની કાર સેવામાં ભાગ લેવા આવ્યા હતા અને સંકલ્પ લીધો હતો, જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર બની નહી જાય અને ત્યાં પહેલી પૂજા નહી થાય ત્યાં સુધી ચા નહી પીવે. છેલ્લા 28 વર્ષથી આ સંકલ્પનું પાલન કરી રહેલા ભરતભાઇ સુરતના ધોડદોડ રોડ વિસ્તારમાં રહે છે. ભરતભાઇ સાથે ચિમનભાઇ પણ કાર સેવામાં સામેલ થયા હતા અને અયોધ્યા આંદોલન દરમિયાન દિવસ-રાત એક કર્યો હતો. 
 
તે સમયે ભરતભાઇએ સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી અયોધ્યામાં મંદિરનું નિર્માણ જ નહી પરંતુ ત્યાં પૂજા નહી થાય ત્યાં સુધી ચા નહી પીવે. આ વાતને 28 વર્ષ વર્ષ વીતી ગયા છે અને ભરતભાઇ પોતાનો સંકલ્પનું પાલન કરી રહ્યા છે. ભૂમિ પૂજનના અવસર પર તેમની ખુશી સમાઇ રહી નથી. ભરતભાઇનું કહેવું છે કે સૌથી વધુ ખુશી ત્યારે થશે, જ્યારે ભગવાન રામનું મંદિર બની જશે અને ત્યાં પહેલી પૂજા થશે, ત્યારબાદ તે ચાની ચુસ્કી લગાવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

HDFC બેંકના નવા MD અને CEO તરીકે શશીધર જગદીશનની નિમણૂકને મંજૂરી