Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમનાથમાં હવેથી દર્શનાર્થીઓ માટે કાયમી પાસ સીસ્ટમ

Webdunia
શુક્રવાર, 21 ઑગસ્ટ 2020 (13:04 IST)
સોમનાથ મંદિરમાં શ્રાવણ માસમાં સરકારની સોશ્યલ ડિસ્ટન્સીંગનો અમલ કરાવવા તમામ દર્શનાર્થીઓ માટે પાસ સીસ્ટમ અમલી બનાવાઇ છે. આ સીસ્ટમ હવે કાયમી બની રહેવાની છે. અત્યારે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે પાસ મળે છે. પણ ભવિષ્યમાં 100 ટકા ઓનલાઇન પાસ મળે એવી વ્યવસ્થા પણ ઉભી કરાઇ શકે છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ દરમ્યાન કોરોના વૈશ્વીક મહામારીમાં શ્રદ્ધાળુઓને નિયત સમયમાં શાંતિથી સામાજીક અંતર જાળવીને દર્શન કરવા માટે ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન પાસ સીસ્ટમ શરૂ કરવામાં આવી છે. શ્રાવણ માસમાં 1,81,846 શ્રદ્ધાળુઓએ ઓનલાઇન અને ઓફલાઇન પાસ સીસ્ટમથી દર્શન કરેલ છે. આ સીસ્ટમ ગોઠવવા બદલ અનેક શ્રધ્ધાળુઓએ ટ્રસ્ટની કામગીરીને આવકારી પણ છે. અનેક મંદિરોમાં આ રીતે દર્શન માટે પાસ સીસ્ટમ અમલમાં છે. આથી સોમનાથ મંદિરમાં પણ પવિત્ર શ્રાવણ માસના અનુભવ પછી દર્શન માટે કાયમી ધોરણે ઓનલાઇન તથા ઓફલાઇન પાસ સીસ્ટમ ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે પછી શ્રધ્ધાળુઓએ સોમનાથ મંદિરમાં દર્શન માટે ઓનલાઇન તથા ઓફલાઇન પાસ લેવાનો રહેશે. આગામી સમયમાં કદાચ ઓફલાઇન પાસ બંધ કરી ફક્ત ઓનલાઇન પાસ સીસ્ટમ અમલી પણ બનાવાઇ શકે છે. એમ પણ તેમણે જણાવ્યું હતું. એજ રીતે શ્રાવણ માસ દરમ્યાન ઇ-પૂજાનો પણ દુનિયાભરના ભાવિકોએ ઘેરબેઠાં લાભ લીધો. અને તેને સારો આવકાર મળ્યો હોવાથી વીડિયો કોલીંગ મારફત ઇ-પૂજા સંકલ્પવિધી પણ કાયમી ચાલુ રહેશે. શ્રાવણ બાદ તા. 20 ઓગસ્ટ થી સોમનાથ મંદિરનો સમય સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે.મંદિરની ત્રણેય આરતીમાં કોઇ પણ શ્રધ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે નહીં દર્શનનો સમય સવારે 7:30 થી 11:30, બપોરે 12:30 થી સાંજે 6:30 અને સાંજે 7:30 થી 9:30 સુધીનો રહેશે.શ્રાવણ માસ દરમ્યાન સોમનાથમાં 54 ભાવિકોએ સવાલક્ષ બીલ્વપૂજા કરી. આ ઉપરાંત 153 ધ્વજાપૂજા, તેમજ 46 લોકોએ તત્કાલ મહાપૂજા પણ કરાવી હતી.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments