Webdunia - Bharat's app for daily news and videos

Install App

રિક્ષા ડ્રાઈવરોએ આત્મનિર્ભર ધિરાણ તથા સ્કૂલ ફી માફીની માગણી કરી નોંધાવ્યો વિરોધ

Webdunia
શનિવાર, 17 ઑક્ટોબર 2020 (17:05 IST)
50 થી વધુ રિક્ષાચાલકોએ સ્કૂલ ફી માફી તથા આત્મનિર્ભર ધિરાણની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ વિરોધ પ્રદર્શન અમદાવાદ રિક્ષા ડ્રાઈવર એકતા યુનિયન સાથે સંકળાયેલા રિક્ષા ડ્રાઈવરોએ ઉસ્માનપુરા ગાર્ડન પાસે એકત્ર થઈને કર્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે દેશ વ્યાપી લૉકડાઉનને કારણે રિક્ષા ડ્રાઈવરોને સૌથી માઠી અસર થઈ છે. અને  સરકાર તરફથી તેમને કોઈ પણ પ્રકારની રાહતના અભાવે તેમની હાલત કપરીબની છે.
 
રિક્ષા ડ્રાઈવર એકતા યુનિયનના વિજય મકવાણા જણાવ્યું હતું કે “અમે આ મુદ્દે તા. 8 ઓકટોબરના રોજ જીલ્લા કલેકટરને પણ રજૂઆત કરીને રિક્ષા ડ્રાઈવરોને રાહત આપવા માગણી કરી છે. અમારામાંના ઘણા રિક્ષા ડ્રાઈવરો પાસે છેલ્લા ઘણા સમયથી કોઈ પણ પ્રકારનુ કામ નથી આમ છતાં અમારા માટે કોઈ રાહતની જાહેરાત કરવામાં આવી નથી.” રિક્ષા ડ્રાઈવરોની મુખ્ય માગણી તેમના બાળકોની  સંપૂર્ણ સ્કૂલ ફી માફ કરવાની અને તેમને આત્મનિર્ભર ધિરાણ આપવાની છે.
 
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે “સીએનથી ઉપર લાગતા વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) માં ઘટાડો કરીને સીએનજીના ભાવમાં  ઘટાડો કરવાની પણ અમારી માગણી છે. આ ઉપરાંત રિક્ષા ડ્રાઈવરોને પુરતો બિઝનેસ મળી રહે તે માટે યોગ્ય સ્થળોએ પુરતી સંખ્યામાં રિક્ષા સ્ટેન્ડ ઉભાં કરવાની જરૂર છે.  આ ઉપરાંત ટ્રાફિક પોલિસ તરફથી રિક્ષા ડ્રાઈવરોને બિનજરૂરી સતામણીનો ભોગ બનવુ પડે છે, જેનો અંત આવવો જોઈએ ”
 
વિરોધ પ્રદર્શન કરી રહેલા રિક્ષા ડ્રાઈવરો સાથે આમઆદમી પાર્ટીના કેટલાક કાર્યકરો જોડાયા હતા. રિક્ષા યુનિયન જણાવે છે કે તે આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં  આમ આદમી પાર્ટીનુ સમર્થન કરશે કારણે કે આ પક્ષે તેમના તરફ સહામુભૂતી દર્શાવી છે અને તેમની માગણીઓને ટેકો આપ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર આખા દેશમાં લગાવી રોક, ફક્ત આ મામલામાં કાર્યવાહીની છૂટ

જાણો PM મોદી ક્યાંથી ખરીદે છે કપડાં, કુર્તા-પાયજામાના એક સેટની કિંમત જાણીને તમે ચોંકી જશો.

આગળનો લેખ
Show comments