Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં વરસાદની ફરીવાર ધમાકેદાર બેટિંગઃ અરવલ્લીમાં 3 કલાકમાં 5 ઇંચ વરસાદ

Webdunia
શનિવાર, 31 ઑગસ્ટ 2019 (14:42 IST)
જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમય બાદ મેઘમહેરના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના પગલે અનેક રોડ પાણીથી ભરાઇ ગયા છે. ત્યારે કેટલાક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓ પણ સામે આવી હતી. તો બીજી બાજુ મોડાસાના દધાલીયા ગામે મૂશળધાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. દોઢ કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. જેને પગલે રાવળ ફળીયાના 6 જેટલા મકાનોમાં પાણી ઘુસતા રાવળ મણાભાઈ સોમાભાઈનું મકાન ધરાશાયી થયું હતું. તેમજ પૂરની સ્થિતિને પગલે એક મહિલા પાણીના વહેણમાં તણાઈ હતી. તેમજ આસપાસના 15થી વધુ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને મોતીપુર નજીક કોઝ વે પર પાણી ફરી વળ્યા છે.

આ ઉપરાંત મોડાસા શહેરમાં પણ ભારે વરસાદ પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અરવલ્લીનાં ઉમેદપુર, જીવણપૂર, ફૂટા, સરડોઇ સહિત ગામડાઓમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. એક કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.મહત્વનું છે કે સૌરાષ્ટ્ર્ પર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. હવામાન વિભાગે વરસાદી સિસ્ટમ સક્રિય થતા સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આગામી 1 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.હજી 02 સપ્ટેમ્બર સુધી ગુજરાત સૌરાષ્ટ્રનાં ભાગોમાં હજુ પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments