Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના ખેડૂતો પર પેપ્સીકો કંપનીએ બટાકાના કોપીરાઈટ મુદ્દે કરેલા કેસ પાછા ખેંચ્યા

Webdunia
શનિવાર, 11 મે 2019 (13:08 IST)
પેપ્સીકો ઇન્ડિયા કંપની દ્વારા આખરે FC5 બટાકાની કોપીરાઈટને મામલે રાજ્યના 11 ખેડૂતો સામે કરવામાં આવેલા કેસ પરત ખેંચાયા છે.આ સાથે જ ખેડૂતો સામે પેપ્સીકો તરફથી કરવામાં આવેલો 1 કરોડ રૂપિયાનો દાવો પણ પેપ્સીકોએ બિનશરતી રીતે પરત ખેંચતા કુલ 8 કેસોનો ખેડૂતોના હક્કમાં અંત આવ્યો છે. આ 8 કેસોમાં 1 ડીસામાં, 3 મોડાસામાં અને અમદાવાદની કોમર્શિયલ કોર્ટમાં કરાયેલા 4 કેસોનો સમાવેશ થાય છે.

પેપ્સીકો કંપની તરફથી અમદાવાદની કોમર્શીયલ કોર્ટમાં અરજી કરીને ઉલ્લેખ કરાયો હતો કે FC5 બટાકાના બીજનું વાવેતર અને વેચાણ માત્ર પેપ્સીકોએ જ આપેલા આધિકારવાળા ખેડૂતો કરી શકે છે અને અન્ય કોઈ કરે તો તે કોપીરાઈટનો ભંગ કહેવાય પરંતુ પેપ્સીકો દ્વારા કરાયેલા કેસ સામે રાજ્યભરના ખેડૂતો અને વિવિધ સંગઠનોનો આક્રોશ તેમજ સરકારનો પણ ખેડૂતો તરફી વલણ જોઇને આખરે પેપ્સીકો કંપનીએ તમામ ખેડૂતો સામે કરેલો કેસ પરત લેવાનો નિર્ણય કર્યો છે. પેપ્સીકોએ ખેડૂતોને દબાવવાનો જે આ પ્રયત્ન કર્યો તેની સામે પેપ્સીકોને તેની ભૂલ સમજાઈ છે. પેપ્સીકોએ બિનશરતી દાવા પાછા ખેંચ્યા પણ ખેડૂતો તેમને સરળતાથી છોડશે નહીં. આ સાથે જ ખેડૂતોને કરાયેલી હેરાનગતિ અને માનહાની માટે પેપ્સીકો કંપની ખેડૂતોની માફી માગી તેવી માગ આનંદ યાજ્ઞીકે ખેડૂતો વતી કરી હતી. 

ભવિષ્યમાં ફરી કોઈ કંપની આ રીતે દેશમાં ખેતી પર નિર્ભર અને જગતના તાત સામે ફરીવાર આ રીતે કોપીરાઈટનો દાવો ના કરે તે માટે અત્યારથી જ સાવચેતીના પગલારૂપે કિસાન સંઘ અને વિવિધ સંગઠનો તકેદારી રાખવામાં આવશે સાથે જ જે ખેડૂતો સામે કેસ કરવામાં આવ્યા હતા તે ખેડૂતોએ પેપ્સીકો પાસેથી 1 રૂપિયાના વળતર સાથે જ સમગ્ર ખેડૂત સમાજની માફી માગવામાં આવે તેવી માગ પણ કરી છે. તેમજ જો ખેડૂતોથી જો કંપની માફી નહીં માગે તો ખેડૂતોને બદનામ કરવા બદલ, ચોર કહેવામાં આવ્યું, પરવાનગી વગર તેમના ખેતરમાં પ્રવેશવા બદલ પેપ્સીકો વિરુદ્ધ ખેડૂતો લીગલ નોટીસ પણ મોકલશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments