Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતના મંદિર પર ફરી વળ્યુ બુલડોઝર

Webdunia
ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (17:53 IST)
સુરત શહેરના કાપોદ્રામાં વિકાસના 'રસ્તા' પર રોડો બનેલું વર્ષો જૂનું રામદેવપીરનું મંદિર ભારતીય જનતા પાર્ટી શાસિત મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા ધ્વસ્ત કરવામાં આવ્યું છે.  મંદિરના પૂજારી ચોધાર આસુંએ રડતાં રહ્યા અને પોતાના ભગવાનના ઘરને બચાવવ આજીજી કરતાં રહ્યા પરંતુ દિલ પર પથ્થર રાખીને આવેલા સુરત મનપાના અધિકારીને ન તો લોકોની આસ્થા દેખાઈ ન પૂજારીનું દર્દ. બસ વિકાસના રસ્તાની આડે આવતું બાબા રામદેવપીરનું મંદિર બુલડોઝરથી તોડી પાડવાનું મન બનાવી લેનાર અધિકારીને થોડો પણ ખચકાટ ન થયો અને ભારે વિરોધ વચ્ચે ભગવાનનું મંદિરનું ડિમોલેશન કરાયું
 
સુરત મનપાના અધિકારીઓ મોટી સંખ્યામાં દળ અને બળ એટલે કે પોલીસ કાફલો લઈ મંદિરનું ડિમોલેશન કરવા પહોંચ્યા હતા, જે બાદ મંદિરના પૂજારી અને ભક્તોનો ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો, પોતાની આસ્થાનું મંદિર તૂટતુ  હોવાથી આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને સુરત મનપાના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ સુરત મનપા ટસની મસ ન થતાં પોલીસ બળને આગળ ધરી મંદિર ભાદરવી બીજના શુભ દિવસે જ તોડી પડાયું હતું. 
 
પૂજારીની આજીજી પણ ટસનું મસ ન થયું તંત્રપોતાની વર્ષો જૂની પેઢીઑથી  મંદિરની પૂજા પાઠ કરતાં પૂજારી મધુભાઈ માવજીભાઈ ગરનિયાએ મનપા અધિકારીને મંદિર ધ્વસ્ત ન કરવા ખૂબ સમજાવ્યા, પણ અધિકારી એક ના બે ન થતાં પૂજારી મંદિર તોડતું જોઈ રડતા રહ્યા, પણ પૂજારીની આસ્થાને બાજુ પર મુકીને બુલડોઝર ફરી વળ્યુ  અને પૂજારી મધુભાઈ પોતાના હિબકે ચડેલા મને સુરત મનપાના આ નિર્ણયને જોતાં રહ્યા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments