Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરોડો સરકારી માલિકીની જમીન ઉપર ગેરકાયદે દબાણ કરી નફો રળતા 12 ઇસમો વિરૂદ્ધ તંત્રએ કરી કાર્યવાહી

Webdunia
શનિવાર, 29 મે 2021 (20:27 IST)
અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જિલ્લાના 12 ઇસમો સામે ફોજદારી કાર્યવાહી કરી છે. કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની સમિતિના નિર્ણય બાદ વાડજ પોલીસ સ્ટેશન ખાતે સાત વ્યક્તિઓ સામે અને સોલા પોલીસ સ્ટેશન ખાતે પાંચ વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. 
 
જિલ્લા કલેકટર સંદીપ સાગલેના જણાવ્યા મુજબ હેબતપુરની 28 કરોડ 47 લાખ બજાર કિંમતની 16,752 ચોરસ મીટર જમીન અને વાડજની 6 કરોડ 17 લાખ બજાર કિંમતની 4046 ચોરસ મીટર જમીન પર ગેરકાયદે કબજો કર્યાનો કુલ 12 વ્યક્તિઓ પર આરોપ છે. સરકારી માલિકીની જમીન ઉપર ગેરકાયદે દબાણ કરી નફો રળતા તત્વો સામે જિલ્લા વહિવટી તંત્રએ લાલ આંખ કરી છે.
 
કલેકટરએ વધુમાં કહ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં જમીન કૌભાંડો કરતા આવા કોઈપણ ભૂમાફિયાઓને બક્ષવામાં નહીં આવે અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આકરી કાર્યવાહી કરવામાં આવશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે જમીન પચાવી પડવાના પ્રતિબંધના કાયદા 2020 અંતર્ગત કાયદેસરની બીજાની માલિકીની જમીન, મિલકત બળજબરીથી, આર્થિક ઉપાર્જન મેળવવા, કપટ કરી, ફ્રોડ કરી, ધાક ધમકી આપી પચાવી પાડનાર સામે ફોજદારી પગલાં લેવાની અને ગુનો સાબિત થયે 10 થી 14 વર્ષ જેલની સજાની જોગવાઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments