Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાબરકાંઠામાં મજૂરોની જીપનો ટ્રક સાથે અકસ્માત, 6ના મોત

Webdunia
સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (14:48 IST)
સાબરકાંઠાના વિજયનગરના કુંડલા ગામ પાસે જીપ અને ટ્રક વચ્ચે  ગમખ્વાર અકસ્માત થતાં 6 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. સોમવારે સવારે થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્તોને ખેડબ્રહ્મા અને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટનારનો આંકડો વધી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે. એક્સિડન્ટમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતમાં મોતને ભેટનારા મોટાભાગના નવાપગા ખારા બેડીના રહીશ છે.

તેઓ સવારે ઘરેથી નીકળીને ઈડરના ચોરવાડ ગામે બટાટા કાઢવાનું કામ કરવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. આ બનાવ આશ્રમ નજીક પુડળા ત્રણ રસ્તા આંતરસુબા બીએડ કોલેજ પાસે બન્યો હતો. જેમાં રેતી ભરવા જતી ટ્રક સાથે જીપ સામસામે અથડાતાં ઘટનાસ્થળે જ 3ના મોત નિપજ્યા હતા. જ્યારે ખેડબ્રહ્મા ખાતે 3ના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે.

 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments