Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોડાસાના ખંભીસરમાં દલિત યુવકનો વરઘોડો રોકનારા તમામની ધરપકડ કરવા હાઈકોર્ટનો આદેશ

Webdunia
બુધવાર, 24 જુલાઈ 2019 (12:42 IST)
ઉત્તરગુજરાતમાં મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં અનુસુચિત જાતિનો વરઘોડો રોકવાના કેસમાં હાઇકોર્ટે તમામ આરોપીઓની ધરપકડ કરવા અને ભોગ બનનારને પૂરતું રક્ષણ આપવા આદેશ કર્યો છે. અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસુચિત જાતિના વરરાજા ઘોડા પર ચઢીને લગ્ન કરવા જતા તેમના પર અન્ય જાતિના ટોળાએ હુમલો કર્યો હતો અને જીવલેણ હુમલો કર્યો હતો. તેમા વરરાજા ઘોડા પરથી નીચે પટકાયા હતા અને ઘોડાનું મોત નિપજ્યું હતું. ટોળાંએ જાતિવાચક અપશબ્દો બોલીને જાન પર પથ્થરમારો કર્યો હતો. 
આ અંગે આરોપીઓએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. કોર્ટે તમામ આરોપીની ધરપકડ કરવા આદેશ આપતા આરોપીઓએ આગોતરા જામીન અરજી પરત ખેચી લીધી હતી.અનુસુચિત જાતિના વરરાજાને ઘોડા પર બેઠેલા જોઇને અન્ય જાતિના ટોળાંએ પથ્થરમારો કર્યો હતો સાથે એટ્રોસિટી એકટનો ભંગ થાય તેવા અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે આઇપીસી એકટ, એનિમલ ક્રુઅલ્ટી એક્ટ અને એટ્રોસિટી એકટ હેઠળ 45 લોકો સામે ગુનો નોંધ્યો હતો. 
જ્યારે 150 લોકો સામે અસામાજિક તત્ત્વો વિરુદ્ધ અન્ય ગુનાની ફરિયાદ નોંધી હતી. કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે કહ્યું હતું કે, દલિત સમાજ માટે શિક્ષણ, રોજગાર સહિતની ઘણી યોજના છે,પણ અત્યારે દલિતોને રક્ષણની જરૂર છે. પરમારે કહ્યું હતું કે, રાજ્યના 32 ગામમાં હજુ પણ દલિત પરિવારોને પોલીસ રક્ષણ હેઠળ જીવવું પડે છે. દલિતો સાથે બેસીને ભોજન લેવાનું ગૌરવ લેવા કરતા આભડછેટ દૂર કરવા સરકાર પ્રયત્નશીલ નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments