Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ: હૉસ્પિટલો અને નર્સીંગ હોમ સંગઠીત થઈને સમસ્યાઓ અંગે ઉઠાવશે અવાજ

Webdunia
ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2020 (10:53 IST)
અમદાવાદ શહેરનાં મોટાં અને મધ્યમ કદનાં હોસ્પિટલો તથા નર્સીંગ હોમ તેમને લગતા મુદ્દા અને સમસ્યાઓનો સંગઠીત થઈને  “અમદાવાદ હૉસ્પિટલ્સ એન્ડ નર્સીંગ હોમ એસોસિએશન” (AHNA) ના નેજા હેઠળ અવાજ ઉઠાવશે.
 
નવી સ્થપાયેલા આ એસોસિએશનનો અત્યંત મહત્વનો ઉદ્દેશ વીમા કંપનીઓ અને થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રટર સામે અવાજ ઉઠાવવાનો છે. વીમાં કંપનીઓ  હોસ્પિટલોને જે દર ઓફર કરે છે તે ખૂબ જ નીચા છે. આ કારણે દર્દીઓને ગુણવત્તાયુક્ત સર્વિસ પૂરી પાડવાનુ મુશ્કેલ બની જાય છે. વધુમાં, ઘણા વર્ષથી દરમાં સુધારો પણ કરવામાં આવ્યો નથી. સમાન પ્રકારે એમ્પેનલીંગ હૉસ્પિટલો અંગે કોઈ સ્ટાન્ડર્ડ માપદંડ નથી. આ એસોસિએશન જનરલ ઈન્સ્યરન્સ પબ્લિક સેકટર એસોસિએશન (GIPSA) ના પ્રિફર્ડ પ્રોવાઈડર નેટવર્ક (PPN) નો પણ વિરોધ કરે છે અને તેને અવાસ્તવિક ગણાવે છે. 
 
AHNA સરકારને એવી પણ રજૂઆત કરશે કે નવાં લાયસન્સ ઈસ્યુ કરવા માટે તથા લાયસન્સના રિન્યુઅલ માટે સિંગલ વીન્ડોની સગવડ પૂરી પાડે. હૉસ્પિટલો સામે હિંસાની વધતી જતી ઘટનાઓ બાબતે એસોસિએશન પોતાનાં હિતોની સુરક્ષા માટે આવશ્યક પગલાં લેવાની હિમાયત કરશે. તે તબીબી ઉપકરણો, કન્ઝયુમેબલ્સ અને ફાર્મા પ્રોડકટસની સંગઠીત ખરીદી અને આફટર સેલ્સ સર્વિસ માટે સભ્યોને સહાય કરશે. આ ઉપરાંત યોગ્ય સર્વિસ પૂરી પાડવામાં નિષ્ફળ જતા ઈક્વિપમેન્ટ ઉત્પાદકો સામે  ફરિયાદ નોંધાવવા માટે કોમન પ્લેટફોર્મ પૂરૂ પાડશે. 
 
AHNAના અન્ય ઉદ્દેશોમાં હૉસ્પિટલો અને નર્સીંગ હોમને વિવિધ સરકારી નીતિઓ અનુસાર નાણાંકિય સહાય તથા અન્ય સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર સમક્ષ વાત મુકશે. આ ઉપરાંત એસોસિએશન સમાન હિત ધરાવતી નીતિઓ ઘડી કાઢવાની કામગીરી પણ કરશે. દા.ત. કેટલાંક એન્ટીબાયોટિક્સના ઉપયોગ ઉપર નિયંત્રણ માટે એન્ટીબાયોટિક પોલિસી તથા રિઝર્વ એન્ટીબાયોટિકસની યાદી તૈયાર કરવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
 
કુશળ પેરામેડિકલ સ્ટાફની અછતનો સામનો કરવા માટે એસોસિએશન સભ્યો સાથે મળીને કામ કરશે. સમાજ પ્રત્યે પોતાની જવાબદારીના હિસ્સા તરીકે તે સામાન્ય જનતા તથા આરોગ્ય અંગે જાગૃતિ બાબતે  વિવિધ કાર્યક્રમો હાથ ધરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments