Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારે વરસાદના કારણે કંપનીની દીવાલ ઢળી પડતાં 5 મજૂરોના મોત, 4 એક જ પરિવારના

Webdunia
ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (14:10 IST)
સુરંગીમાં એક નવી કંપનીનું કંસ્ટ્રકશન કામ ચાલી રહ્યું હતું. જ્યાં સુરક્ષા દિવાલ પાસે જ ઝૂંપડીઓમાં મજૂર રહે છે. ગત મોડી રાત્રે વરસાદના કારણે દીવાલ ઝૂંપડપટ્ટી પર ધરાશાઇ થઇ ગઇ જેમાં ઝૂંપડપટ્ટી સાથે દબાઇ જતાં 5 મજૂરોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે જ્યારે બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઘટના બાદ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 
મળતી માહિતી અનુસાર સુરંગી ગામમાં નવનિર્મિત મહેશ્વરી પોલિકેમ કંપનીની પ્રોટેક્શન વોલ પાસે ઝૂંપડપટ્ટી બનાવી મજૂરો રહેતા હતા. ગત મોડી રાત્રે દાદરા નગર હવેલી તથા આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના પાણીના વહેણના કારણે સુરક્ષા દિવાલ ધરાશાયી થઇ ગઇ હતી. દિવાલ પાસે ઝૂંપડપટ્ટીમાં રાત્રે મજૂરો સૂતા હતા ત્યારે આ અકસ્માતમાં પાંચ મજૂરોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા જ્યારે અન્ય બેને ઇજા પહોંચી છે.  
 
ઘટનાની જાણ થતાં ખાનવેલ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી તેમણે દીવાલ નીચે ઝૂંપડપટ્ટીમાં દબાયેલા 5 મજૂરોના મૃતદેહ બહાર કાઢ્યા તથા ગંભીને તાત્કાકિલ સિલવાસ સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. આ ઘટના બાદ ખાંવેલ પોલીસમથકમાં મહેશ્વરી પોલીમર્સ નામની કંપનીના વિરૂદ્ધ બેદરકારી અને હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે વિશાલ રઘુભાઇની ફરિયાદના આધારે કંપની મેનેજમેન્ટ વિરૂદ્ધ આઇપીસી કલમ 304, 338, 269, 270 અને 114 હેઠળ કેસની તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments