Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિક પટેલને હાઈકોર્ટમાંથી જબરદસ્ત ઝટકોઃ લક્ષચંડી મહાયજ્ઞમાં ભાગ લઈ નહીં શકે

Webdunia
ગુરુવાર, 19 ડિસેમ્બર 2019 (15:36 IST)
ઊંઝામાં હાલ ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞ ચાલી રહ્યો છે. અને આ મહાયજ્ઞમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ઊંઝા જવા પર સરકારે રોક લગાવી હતી. જે મામલે હાર્દિકે ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવ્યા હતા. પણ ગુજરાત હાઈકોર્ટે પણ હાર્દિક પટેલની ઊંઝા પર નો એન્ટ્રી લગાવી દીધી હતી. મહેસાણાના ઊંઝામાં ચાલી રહેલાં લક્ષચંડી મહાયજ્ઞમાં સામેલ થવા માટે હાર્દિકે હાઈકોર્ટ સમક્ષ ગુહાર લગાવી હતી. પણ આ મામલે કોર્ટે હાર્દિકને ઝટકો આપતાં કહ્યું કે, હાર્દિકે સોશિયલ મીડિયામાં કરેલી ટિપ્પણીને લઈ આકરી ઝાટકણી કાઢી હતી અને સરકારના પ્રવેશબંધીને યોગ્ય ગણાવ્યો હતો. કોર્ટે હાર્દિકને કહ્યું કે, દર્શને જવાની ઈચ્છા રાખનારાઓનાં નિવેદન આ પ્રકારનાં ન હોય. સોશિયલ મીડિયામાં હાર્દિકે કરેલી પોસ્ટની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. હવે હાઈકોર્ટે પણ પ્રવેશબંધી પર મહોર લગાવી દેતાં હાર્દિક પટેલ લજ્ઞચંડી મહાયજ્ઞમાં ભાગ લઈ શકશે નહીં. જેથી હાર્દિકની પત્ની કિંજલ પટેલે યજ્ઞમાં એકલા બેસવું પડ્યું હતુ. સરકારે કાયદો વ્યવસ્થાની સ્થિતિનું કારણ જણાવીને હાર્દિક પટેલને મહેસાણામાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. મહાયજ્ઞમાં હાજરી આપવાં કરતાં હાર્દિકનો ઈરાદો બીજો હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું હતું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments