Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકારે જાહેર કરી વર્ષ 2021ની સરકારી રજાઓની યાદી, જુઓ લિસ્ટ

Webdunia
મંગળવાર, 3 નવેમ્બર 2020 (09:43 IST)
હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. તે દરમિયાન રાજ્ય સરકારે વર્ષ 2021 માટે સરકારી રજાની જાહેરાત કરી દીધી છે. વર્ષ 2021માં કુલ 22 સાર્વજનિક રજાઓ સાથે સાથે 44 અનિવાર્ય રજા છે. જોકે જે સાર્વજનિક રજા રવિવારે આવતી હતી, તે આ યાદીમાં સામેલ નથી. વૈકલ્પિક રજાઓમાંથી, રવિવારે કુલ આઠ રજાઓ આવે છે. એટલા માટે આ યાદીમાં રાખવામાં આવી નથી. મહાવીર જયંતિ, સ્વતંત્રતા દિવસ, રક્ષા બંધન અને સરદાર પટેલ જયંતિ રવિવારે આવે છે. 
 
વર્ષ 2021માં બેંક માટે કુલ 16 રજાઓ જાહેર કરવામાં આવી છે. જેમાંથી પાંચ રજાઓ રવિવારે આવે છે. રવિવારે આઠ રજાઓ આવતી હોવાથી તેને ફરજિયાત રજા જાહેર કરવામાં આવી નથી. સરકાર કર્મચારી ધાર્મિક પ્રતિબંધો વિના પોતાની પસંદની મેક્સિમમ બે ફરજિયાત રજાનો આનંદ માણી શકશે. આ પહેલાં એક અરજી કરવી પડશે. વર્ષ 2021માં મકર સંક્રાંતિ ગુરૂવારે આવે છે. જ્યરે 12 જુલાઇના રોજ અષાઢી બીજ આવે છે. જ્યારે બેંક માટે મકરસંક્રાંતિ, ગણતંત્ર દિવસ,11 માર્હ્ક શિવરાત્રિ અને 29 માર્ચના રોજ ધૂળેટીની રજા રહેશે. 
 
સરકાર દ્વારા જાહેર એક યાદી અનુસાર, બેંક કર્મચારીઓને આગામી વર્ષ કુલ 16 દિવસની રજા મળશે. જ્યારે મહાવીર જયંતિ, સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, સરદાર પટેલ જયંતિ અને ક્રિસમસ શનિવારે અને રવિવારે આવી રહ્યા છે, તેને તેમને સાર્વજનિક રજા જાહેર કરવામાં આવી નથી. સામાન્ય રીતે ઇમરજન્સી રજાને મંજૂરી આપનાર એક અધિકારી કામના મહત્વને જોતાં રજા આપવામાં સક્ષમ રહેશે. જોકે સરકારે શનિવાર અને રવિવારની રજા માટે એક અલગ શિડ્યૂલ આપ્યું છે. 
 
સરકારી કર્મચારી પોતાની પસંદ અનુસાર બે દિવસની રજા લઇ શકે છે જેને આકસ્મિત રજા ભાગમાં ઉમેરવામાં નહી આવે. જો મુસ્લિમોના દિવસે જાહેર કરવામાં આવેલી રજા દિવસે તહેવાર આવતો નથી તો જે દિવસે તહેવાર ઉજવવામાં આવશે તે દિવસે સરકાર દ્વારા તે મુસ્લિમ કર્મચારીઓને ફરજિયાત રજાના રૂપમાં આપવમાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments