Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌરાષ્ટ્રમાં ખેડૂતો વિફર્યાં, રાજકોટમાં 20 અને ગોંડલમાં 9 લોકોની અટકાયત

Webdunia
ગુરુવાર, 18 ઑક્ટોબર 2018 (13:29 IST)
હાલ અછતનો સામનો કરી રહેલા ગુજરાતમાં દિવસેને દિવસે ખેડૂતોની સ્થિતિ કફોડી બની રહી છે. તાજેતરમાં રાસાયણિક ખાતરોમાં થયેલા ભાવ વધારાથી લઈ લસણના તળિયે ગયેલા ભાવો સુધી જગતના તાત માથે ઘાત આવી પડી છે. જેને પગલે સમગ્ર રાજ્યના ખેડૂતો ઉગ્ર બનીને દેખાવો કરી રહ્યા છે. આજે ગોંડલ તાલુકાના મોવિયા ગામે મોંઘવારી અને પાક વીમા પ્રશ્ને ખેડૂતોએ પૂતળા દહન કાર્યક્રમ કર્યો હતો. જો કે મોંઘવારીના પૂતળા દહન કાર્યક્રમ યોજાઇ તે પહેલા જ પોલીસે 9 જેટલા ખેડૂતોની અટકાયત કરી હતી.પોલીસે જમનભાઈ રૂગનાથભાઈ કાલરીયા, વાઘજીભાઈ વીરજીભાઈ પડાળીયા, શૈલેષ હિરજીભાઇ ઠુંમર, વિનોદભાઈ મોહનભાઈ કાલરીયા, હંસરાજ મનજીભાઈ કણસાગરા, સુભાષ કાલરીયા તેમજ અન્ય ત્રણની અટકાયત કરી છે.રાજકોટમાં મુખ્યમંત્રી શ્રમ યોજનાના કર્મચારીઓએ સીએમ રૂપાણીના ઘર પાસે વિરોધ પ્રદર્શન કર્યો હતો. જેમાં પોલીસે 20થી વધુ લોકોની અટકાયત કરી છે.

તેમજ કોંગ્રેસના કાર્યકરોએ મંત્રી કુંવરજી બાવળીયાના ઘર પાસે વિરોધ કર્યો હતો. અને મોંઘવારીનો રાવણ બાળ્યો હતો.મુખ્યમંત્રી શ્રમ યોજનાના કર્મચારીઓમાં પગાર સહિતના વિવિધ પ્રશ્નોને લઈને ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે. જેને લઈને આજરોજ મુખ્યમંત્રીના ઘર પાસે શ્રમ યોજનાના કર્મચારીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા.

જો કે મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરતા કર્મચારીઓ સીએમના ઘર નજીક પહોંચે તે પહેલા જ ગાંધીગ્રામ પોલીસે 20થી વધુ લોકોની અટકાયત કરી લીધી હતી. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.ખેડૂતો અને મોંધવારીની સમસ્યાને લઈ કોંગ્રેસના કાર્યકરોએ મંત્રી કુંવરજી બાવળીયાના ઘર પાસે વિરોધ પ્રદર્શન કર્યો હતો સાથે જ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. શહેરના જલારામ ચોક પાસે કોંગ્રેસના કાર્યકરોએ મોંઘવારીનું પુતળાદહન કર્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments