Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકડાઉનની સ્થિતીમાં ખાદ્ય સપ્લાય ચેઇન તૂટે નહી તે માટે CMએ ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો સાથે યોજી વિડીયો કોન્ફરન્સ

Webdunia
ગુરુવાર, 26 માર્ચ 2020 (11:31 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસની વર્તમાન સ્થિતીમાં જાહેર થયેલા ર૧ દિવસના લોકડાઉન દરમિયાન નાગરિકોને ખાદ્ય અન્ન આટો-લોટ-દાળ જેવી ચીજવસ્તુ સરળતાએ મળે તે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ૪ મહાનગરોના ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. વિજય રૂપાણીએ આ સંદર્ભમાં જિલ્લા કલેકટર, પોલીસતંત્ર અને પુરવઠા અધિકારીઓને સુચારૂ સંકલન રાખી આવા મિલર્સની સપ્લાય ચેઇન બંધ ન થાય તે જોવા તાકિદ કરી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે હાલની સ્થિતીમાં ઘઉ, ચોખા, બાજરી, દાળ જેવા ખાદ્યાન્નને બદલે તેના તૈયાર લોટ-આટાની માંગ વધુ રહેવાની છે.
 
આ હેતુસર ફલોર અને પલ્સ મિલ્સમાં આવતા અનાજને દળીને આટો-લોટ તૈયાર થાય તે માટે અન્ય રાજ્યોમાંથી આવતા આવા અન્ન પુરવઠાનું વહન પણ નિર્વિધ્ને ચાલુ રહે તે જોવા અનુરોધ કર્યો હતો. તેમણે ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકોએ તેમના માલને મિલ સુધી અને તે પછી આટાને લાસ્ટ માઇલ કનેકટીવીટી સુધી પહોચાડવામાં આંતર રાજ્ય-આંતર જિલ્લા હેરફેરમાં સરકારને મદદરૂપ થવા કરેલી રજૂઆતો અંગે પણ જિલ્લા પોલીસ અને વહિવટીતંત્રોને યોગ્ય પ્રબંધ માટેની સૂચનાઓ આપી હતી.
 
મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેકટરે આવા આટા-લોટની હોલસેલ અને રિટેઇલ માર્કેટ ચેઇન તૂટે નહિ તે માટે જરૂરી વાહન-વ્યકિતઓને પાસ ઇસ્યુ કરવાની પણ તાકીદ કરી હતી. વિજય રૂપાણીએ રાજ્યના આવા જે ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો અન્ય રાજ્યોમાં સપ્લાય કરે છે તે પણ જળવાઇ રહે અને અન્ય રાજ્યોના નાગરિકોને પણ કોઇ દુવિધા ન રહે તે જોવા આ મિલ સંચાલકોને અનુરોધ કર્યો હતો.
 
તેમણે કહ્યું કે રાજ્ય સરકાર ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો માટે પ્રવર્તમાન સ્થિતીમાં જરૂરી ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલ તત્કાલ તૈયાર કરીને જિલ્લાતંત્રોને પહોચાડશે અને સંપૂર્ણ વ્યવસ્થા કોઇ જ વિધ્ન વિના સુપેરે ચાલે તેવી વ્યવસ્થા ગોઠવશે. આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતના તથા દાહોદના ફલોર-પલ્સ મિલ્સ સંચાલકો જોડાયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments