Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો ભાજપના કાર્યકરોએ ભાજપ સરકારના કયા મંત્રીને ગૃપમાંથી હાંકી કાઢ્યા

Webdunia
મંગળવાર, 19 નવેમ્બર 2019 (13:10 IST)
ભાજપે ભલે કોંગ્રેસમાંથી આવેલા કુંવરજી બાવળિયાને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રીપદે બેસાડી પોંખ્યા હોય પણ સ્થાનિક સ્તરે તેમનો વિરોધ વધી રહ્યો છે. સોમવારે ભાજપના પાયાના કાર્યકરોએ પેરાશુટ કુંવરજીને ટીમ- ભાજપ જસદણ ગ્રુપમાંથી રિમૂવ કરી કાઢયા હતા. ભાજપના ગ્રુપમાંથી મંત્રીની હકાલપટ્ટીના સમાચાર વાઈરલ થતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં જ્યાં પણ પેરાશુટ ઉતર્યા છે ત્યાંના સ્થાનિક ભાજપમાં હૈયાહોળી સળગી છે. રાજકોટના જસદણમાં કુંવરજી બાવળિયાના ભાજપ પ્રવેશ અને ધારાસભ્યપદ વગર મંત્રીપદની લ્હાણી થઈ ત્યારથી જ સ્થાનિક કાર્યકરોમાં વિરોધ હતો. તે વખતે પ્રદેશ ભાજપના નેતાઓએ ભાજપના પૂર્વ ધારાસભ્ય ડો. ભરત બોઘરાને સરકારી બોર્ડમાં ચેરમેનપદ આપીને સાચવી લીધા હતા. જો કે, ત્યારપછી લોકસભા ચૂંટણીમાં જસદણમાં ભાજપની લીડ ઘટતા વર્ષોથી ભાજપ માટે મહેનત કરનારા સ્થાનિક નેતા- કાર્યકરોમાં પેરાશુટ મંત્રી કુંવરજી બાવળિયા સામે વિરોધ તીવ્ર થયો હતો. તાજેતરમાં જ આ વિસ્તારમાં સરકારી લોકાપર્ણના કાર્યક્રમના આમંત્રણ પત્રિકામાંથી ડો.બોઘરાનું નામ કાપી દેવાતા સ્થાનિક ભાજપમાં કુંવરજી સામેના વિરોધમાં તેલ રેડાયુ હતુ. આ વિવાદની વચ્ચે નવા સંગઠનની રચનાટાણે જ ટીમ ભાજપ- જસદણ નામના વોટ્સએપ ગ્રુપમાંથી કબિનેટ મંત્રી કુંવરજીને સ્થાનિક કાર્યકરે રિમૂવ કરતા ભાજપના સેંકડો વોટ્સએપ ગ્રુપોમાં હોહા મચી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments